શ્રીલંકા: PM રાનિલ વિક્રમસિંઘે આપ્યુ રાજીનામુ, રાષ્ટ્રપતિ પહેલા જ થઇ ગયા છે ફરાર
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા ગૃહ યુદ્ધની આરે ઉભું છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ સ્પીકરને દેશની કમાન સોંપવામાં આવી શકે છે. નવા નેતાની પસંદગી
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા ગૃહ યુદ્ધની આરે ઉભું છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ સ્પીકરને દેશની કમાન સોંપવામાં આવી શકે છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ સંભાળશે. શ્રીલંકાએ રાજકીય નેતાઓને કહ્યું કે તે નવી સરકાર માટે માર્ગ બનાવવા માટે તૈયાર છે. મહિન્દ્રા રાજપક્ષે બાદ તાજેતરમાં રાનિલ વિક્રમસિંઘેએ દેશની બાગડોર સંભાળી છે.

રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ એક ટ્વિટ કર્યું છે. પૂર્વ પીએમે એક ટ્વીટમાં કહ્યું કે આજે પાર્ટી નેતાઓની બેઠકમાં તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે સર્વપક્ષીય સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપું છું.
To ensure the continuation of the Government including the safety of all citizens I accept the best recommendation of the Party Leaders today, to make way for an All-Party Government.
— Ranil Wickremesinghe (@RW_UNP) July 9, 2022
To facilitate this I will resign as Prime Minister.
સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે આયોજિત મીટિંગ પછી, સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કર્યું કે મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ અને પીએમ તાત્કાલિક પદ છોડી દે. કાર્યકારી પ્રમુખની નિમણૂક વધુમાં વધુ 30 દિવસ માટે થવી જોઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક થવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.
સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેના ઘરે ઝૂમ પર યોજાયેલી નેતાઓની બેઠકમાં વર્તમાન સંકટને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવાની વાત કરવામાં આવી હતી. જે બાદ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે કહ્યું હતું કે તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર છે. આ પછી હવે રાનિલ વિક્રમસિંઘેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતીના ભાગરૂપે, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્યની યુનિવર્સિટીઓને 15 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. વર્તમાન પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ગોયબાયાએ રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી દીધું છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શ્રીલંકન મીડિયા દાવો કરી રહ્યું છે કે સરકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રપતિના સૂટકેટ નેવીના જહાજોમાં રાખવામાં આવી રહ્યા છે. હાલમાં તેની પુષ્ટિ થઈ નથી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
