Sridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇ લાવવા મળી મંજૂરી

ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરી મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આી છે.

શ્રીદેવીના તમામ ચાહકો માટે સાચા સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરીની જરૂર હતી તે હવે તેને મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આી છે. અને આજે મોડી સાંજ સુધીમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ આવશે. તમને જણાવી દઇએ કે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન દુબઇમાં 24 ફેબ્રુઆરી રાતના 11 વાગ્યા જેવું થયું હતું. દુબઇ પોલીસની તપાસમાં ફોરેન્સિક રિપોર્ટ મુજબ સરકારી વકીલે તમામ દસ્તાવેજોને ચકાસી લીધા છે. અને તે પછી તેમને આ મામલે સંતુષ્ટી મળતા જ તેમણે વિલંબ કર્યા વગર હવે તેને પાર્થિવ દેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દુબઇ સરકારની તપાસના કારણે જ આ પ્રક્રિયામાં આટલું મોડું થયું હતું.

Sridevi

જો જ્યાં દુબઇથી આ સમાચાર આવ્યા છે ત્યાં જ ભારતમાં શ્રીદેવી મોતને લઇને વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ન્યૂઝ ચેનલમાં કહ્યું છે કે શ્રીદેવીની હત્યા થઇ છે. તે બાથટબમાં ડૂબીને મરી જાય તે સંભવ નથી. સાથે જ તેમણે કહ્યું કે આખી વાત મને અજીબ લાગે છે. સાથે જ શ્રીદેવી દારૂ પીતી નહતી તો પછી તેના શરીરમાં આલ્કોહોલના અંશ કેમ આવ્યા તે અંગે પણ તપાસ કરવા પર ચર્ચાઓ થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે દુબઇથી મુંબઇ આવ્યા પછી શ્રીદેવીના પાર્થિવ દેહને ભાગ્ય બંગલામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ બંગલાને શ્રીદેવીના પસંદગીના રંગ સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યો છે. અને તેમના વસ્તુઓને સફેદ રાખવામાં આવી છે. શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ તેના મિત્રો, પરિવારજનો અને રાજનૈતિક નેતાઓ સમેત તેના કરોડો ચાહકો જોડાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X