નાઇટ શિફ્ટમાં સફેદની તુલનામાં લાલ પ્રકાશમાં કામ કરવાથી વધારે આનંદ
અમેરિકન વિજ્ઞાનીઓનું કહેવું છે કે રાત પાળી એટલે કે નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને સફેદ પ્રકાશની સરખામણીએ લાલ પ્રકાશમાં કામ કરવાનું વધારે અનુકૂળ લાગશે. જનરલ ઓફ ન્યુરો સાયન્સમાં પ્રકાશિત એક શોધપત્રમાં જણાવ્યા અનુસાર ભૂરા કે સફેદ પ્રકાશમાં રાખવામાં હેમસ્ટર (ઉંદર જેવું પ્રાણી) ઉદાસ થઇ ગયા હતા, જ્યારે અંધારામાં અને લાલ પ્રકાશમાં રાખવામાં હેમસ્ટર્સ ખુશ હતા.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સંશોધનના પરિણામો રાત્રે કામ કરનારા લોકો માટે વધારે સારો માહોલ બનાવવામાં મદદરૂપ બની શકે છે. અમેરિકાના સંશોધનકર્તાઓએ આંખોમાં પ્રકાશ માટે સંવેદનશીલ કોશિકાઓ પર વિવિધ પ્રકારના રંગોના પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોશિકાઓ મગજને સંકેતના રૂપમાં સંદેશ મોકલે છે. જેનાથી મગજ રોજબરોજની વસ્તુઓ માટે પ્રતિક્રિયાઓ આપે છે.

આ પ્રયોગ હેમસ્ટર પર કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનીઓએ જાયું કે સફેદ અને ભૂરા પ્રકાશમાં રાખવાથી હેમેસ્ટરનું મગજ ઓછું કામ કરી રહ્યું હતું. તેમનામાં આળસ પણ જોવા મળી રહી હતી. જ્યારે લાલ પ્રકાશમાં રાખવામાં આવેલા હેમસ્ટર ખુશ હતા.
જો કે વિજ્ઞાનીઓનું માનવું છે કે આ સિદ્ધાંતો મનુષ્ય પર પણ લાગુ પડે છે. તેમનું માનવું છે કે રાત પાળીમાં કામ કરનારા માટે ઓફિસમાં લાલ પ્રકાશ હોવો જોઇએ. રાત્રે કોમ્પ્યુટર પર કામ કરતા કે ટીવીના ભૂરા પ્રકાશથી પણ બચવું જોઇએ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
