ભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ
અમેરિકામાં વસતા અને યુનિયન બેંકમાં સારી નોકરી કરતા મૂળ ભારતીય તેવા એક પરિવારનો ફેમીલિ પ્રવાસ બન્યો છેલ્લો પ્રવાસ. ભારે વરસાદના કારણે ચારેય લોકો નદીમાં તણાઇને પામ્યા મૃત્યુ. જાણો વધુ અહીં.
સંદીપ થોટ્ટાપિલ્લઇ અમેરિકામાં વેકેશનમાં પત્ની અને બે સંતાનોને કેલિફોર્નિયાના જંગલોમાં ફરવા ગયા હતા. પણ તેમને ખબર નહતી કે આ ફેમીલિ પ્રવાસ તેમનો છેલ્લો પ્રવાસ બની જશે. સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઇને ખબર જ નહતી કે હવે તે ક્યારેય તેમના દિકરા કે પૌત્ર કે પૌત્રીને કદી નહીં જોઇ શકે. અમેરિકની યુનિયન બેંકમાં ફરજ બજાવતા આ દક્ષિણ ભારતીય પરિવાર જંગલમાં ફરવા ગયો હતો પણ તેમની ગાડી નદીમાં પડી જતા ચારેય સભ્યોના મૃતદેહ હવે મળ્યા છે. નોંધનીય છે કે આ પરિવાર 5મી એપ્રિલથી ગુમ થયો હતો. અને આ માટે ખાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે પછી તેમની કાર અને ચારેય સભ્યોના મૃતદેહ નદીના પટમાંથી મળી આવ્યા હતા.

સંદિપની પત્ની સૌમ્યા તેની દિકરી સચી અને દિકરો સિદ્ધાંત અહીંના ભારે વરસાદના કારણે આવેલા પુરમાં ફસાઇ ગયા હતા. અને બાપ અને દિકરીની લાશ જ્યાં ગાડીમાંથી મળી ત્યાં પુત્ર અને માતાની બોડી થોડી દૂર મળી આવી છે. આ સમગ્ર ખબરે સુરતમાં રહેતા પરિવારને દુખી કરી દીધું છે. 20 સર્ચ ઓપરેશન ટીમ દ્વારા ઇલ નદીમાંથી આ લાશોને શોધી બહાર નીકાળવામાં આવી છે. આ પરિવાર પોલેન્ડથી તેમના ઘર કેલિફોર્નિયા પરત ફરી રહ્યો હતો. નોંધનીય છે કે સંદીપ યુનિયન બેંકનો વાઇસ પ્રેસિડન્ટ હતો. અને સૌમ્યા હાઉસ વાઇફ હતી. સોશ્યલ મીડિયામાં સંદીપને શોધવાની અપીલ કર્યા પછી આ સર્ચને વધારવામાં આવી હતી અને આખરે તેમની લાશ એક પછી એક મળી આવી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
