For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે હાફિઝ સૈયદના બનેવી સહિત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા

કેન્દ્ર સરકારે હાફિઝ સૈયદના બનેવી સહિત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદના ખાત્માને લઈ પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે 27 ઓક્ટોબરે યૂએપીએ એક્ટ 1967 (2019માં સંશોધિત) અંતર્ગત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગવારે નામોની ઘોષણા કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકાર આતંકવાદ વિરુદ્ધ પોતાની ઝીરો ટોલરેન્સની નીટિ પર સંપૂર્ણ પણે કાયમ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સરકારે UAPA Act 1967 (2019માં સંશોધિત)ના પ્રાવધાનો અંતર્ગત અઢાર વ્યક્તિઓને નામિત આતંકવાદી ઘોષિત કર્યા છે.

hafiz saeed

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આતંકવાદથી નિપટવા માટે કેટલાય મોટાં પગલાં ભર્યાં છે, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આતંકવાદીઓની યાદીમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સામેલ છે. જેમાં 26/11 મુંબઈ હુમલાના આરોપી લશ્કરના યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહમાન મક્કી- લશ્કર ચીફ હાફિઝ સૈયદના બનેવી, 1999માં કંધાર IC-814 અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના છોટા શકીલ, હિજ્બુલ મુજાહિદ્દીનના મુખ્યા સૈયદ સલાહુદ્દીન અને ઈન્ડિયન અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ભટકલ બંધુઓના નામ પણ સામેલ છે.

જુલાઈ 2019માં પાસ થયું હતું બિલ

જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે બિનકાનૂની ગતિવિધિ (અટકાયત) સંશોધન બિલ, 2019ને પાછલા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને 24 જુલાઈએ જ લોકસભાથી મંજૂરી મળી ગઈ હતી. જણાવી દઈએ કે આ બિલ બિનકાનૂની ગતિવિધિ (અટકાયત) એક્ટ, 1967માં સંશોધન બાદ પાસ થયું હતું. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં કેટલાક બદલાવ કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબૂ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકી ગતિવિધિઓ સામે કડકાઈથી નિપટી શકાય.

English summary
The central government declared 18 people terrorists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X