75 ખેલાડીઓના મોત બાદ બ્રાઝિલ શોકમાં, 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા
પ્લેન ક્રેશમાં પોતાના 75 ખેલાડીઓ ગુમાવ્યા બાદ બ્રાઝિલ શોકમાં ડૂબી ગયુ છે. દેશમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે...
બ્રાઝિલે પ્લેન ક્રેશમાં પોતાના 75 ખેલાડીઓ ગુમાવી દીધા. બ્રાઝિલના ફૂટબોલ ક્લબ ચાપેકોંસેના ખેલાડીઓનું પ્લેનક્રેશમાં મોત થયુ. ખેલાડીઓને જઇ રહેલ બીએઇ 146 ચાર્ટર્ડ વિમાન કોલંબિયા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ.

ખેલાડીઓના મોત બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઇકલ તેમરે 3 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. સ્કૂલો અને કોલેજો ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. પોતાના ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્રાઝિલના લોકો સફેદ અને લીલા કપડામાં ભેગા થયા અને ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપી. ફૂટબોલ સ્ટેડિયમમાં ઉભેલા સેંકડો લોકો ખાલી મેદાનને નીહાળતા રહ્યા.

આ ઘટનાથી માત્ર બ્રાઝિલ જ નહિ પરંતુ સમગ્ર ફૂટબોલ જગત શોકમાં ડૂબી ગયુ છે. બ્રાઝિલ ફૂટબોલ ટીમના કેપ્ટન નેમાર જુનિયર અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટને ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો છે. વળી કાલે રમાયેલ ઇંડિયન સુપર લીગ મુકાબલા દરમિયાન કોલકત્તા અને કેરલાના ખેલાડીઓએ દુર્ઘટનામાં માર્યા ગયેલા ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દુર્ઘટના બાદ દક્ષિણ અમેરિકી ફૂટબોલ ઓર્ગેનાઇઝેશને પોતાની બધી મેચો આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. વળી આ ટીમને વિજેતા ઘોષિત કરવાની પણ રજૂઆત કરી છે.

તમને જણાવી દઇએ કે બ્રાઝિલની ચાપેકોંસ ટીમને કોપા સૂડામૈરિકાના કપમાં મેડેલિનની ટીમ સાથે રમવાનું હતુ પરંતુ આ દુર્ઘટના બાદ ફાઇનલ મેચ સ્થગિત કરી દેવામાં આવી છે. એટલેટિકો નેસિયોનાલ ટીમે હાર સ્વીકાર કરવાની રજૂઆત કરી છે. તે ઇચ્છે છે કે ચાપેકોંસેની ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે.

વળી ફીફાના અધ્યક્ષ જિયાની ઇનફેંટિનોએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. ક્લબના ચેરમેને કહ્યુ છે કે ખેલાડીઓના મૃતદેહને લેવા માટે ક્લબના ડોક્ટર ઘટના સ્થળ પર રવાના થઇ ચૂક્યા છે. ક્લબ સતત પરિવારજનોના સંપર્કમાં છે. તેમણે કહ્યુ કે ખેલાડીઓના મૃતદેહની ઓળખ કરીને તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
