છેલ્લા 24 કલાકમાં તુર્કીમાં આવ્યા ત્રીજો ભુકંપ, કુલ 1600થી વધુ લોકોના થયા મોત
મધ્ય તુર્કીમાં વધુ 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 24 કલાકથી ઓછા સમયમાં આ ત્રીજો ભૂકંપ છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થયા છે.
તુર્કીમાં કુદરત પાયમાલ કરી રહી છે. સોમવારે દેશમાં ત્રીજી વખત જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. આ પહેલા તુર્કીમાં વધુ 2 મોટા ભૂકંપ આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અત્યાર સુધી ભૂકંપના 78 આંચકા
સૌથી વધુ વિનાશ પ્રથમ ભૂકંપના કેન્દ્રની નજીક તુર્કી અને સીરિયાના વિસ્તારોમાં થયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર તુર્કીમાં અત્યાર સુધીમાં 1014 લોકોના મોત થયા છે. ત્યાં 5385 લોકો ઘાયલ થયા છે. સીરિયામાં 783 લોકોના મોત થયા છે. તુર્કી મીડિયા અનુસાર - 3 મોટા આંચકા આવ્યા. તુર્કીના સમય મુજબ પહેલો, સવારે લગભગ 4 વાગ્યે (7.8) અને બીજો લગભગ 10 (7.6) વાગ્યે અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0). આ સિવાય 78 આફ્ટરશોક્સ નોંધાયા હતા. તેમની તીવ્રતા 4 થી 5 હતી.

લેબનોન અને ઇઝરાયેલ પણ પ્રભાવિત
સીરિયામાં 783 લોકો માર્યા ગયા અને 1500થી વધુ લોકો ઘાયલ થયા. બંને દેશોમાં કુલ મૃત્યુઆંક 1800ને વટાવી ગયો છે. લેબનોન અને ઈઝરાયેલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે નુકસાનના કોઈ અહેવાલ નથી.

ભારતે મદદનો હાથ લંબાવ્યો
ભારતે હવે ભૂકંપથી પીડિત તુર્કી અને સીરિયાની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ દેશોને મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુર્કી સરકાર સાથે સંકલન કરીને NDRF અને તબીબી ટીમોને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. PM કાર્યાલયના જણાવ્યા અનુસાર, NDRFની બે ટીમો જેમાં પ્રશિક્ષિત ડોગ સ્કવોડ અને સ્પેશિયલ રેસ્ક્યુ ટીમમાં જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે, તે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર છે. આ સાથે, જરૂરી દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથેની તબીબી ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના થશે.












Click it and Unblock the Notifications
