ચંદ્રની ધરતીમાં દફન છે આ કિમતી ખનિજ, જાણો પૃથ્વી માટે કેટલા મહત્વના?
ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી પર ઉતરી ગયુ છે. ભારતના સફળ લેન્ડિંગ સાથે જ હવે ચાંદ તરફ દુનિયાના વિવિધ દેશોના કદમ વધી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રની ધરતીમાં ઘણા એવા ખનિજ છે, જેના પર વૈજ્ઞાનિકોની નજર છે.
ભારતનું ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ બાદ તેમાં લાગેલા વિવિધ પેલોડની મદદથી ચંદ્રની સપાટીમાં જોવા મળતા વિવિધ ખનીજોની તપાસ કરશે. ચંદ્ર પર મળી આવતા ખનીજોની વાત કરીએ તો ચંદ્ર પર અનેક પ્રકારના ખનિજો મળવાની સંભાવના છે.

જમાવી દઈએ કે, ભારતના ચંદ્રયાન-1 એ દુનિયાને ત્યારે ચૌકાવી દીધી જ્યારે ત્યાં બરફની હાજરી વિશે દુનિયાને જણાવ્યુ. ત્યારબાદ ત્યાં પાણીની સંભાવના પર પુરી દુનિયા રિસર્ચ કરી રહી છે.
પાણી સિવાય ચંદ્રની સપાટી પર હાઇડ્રોજન, ઓક્સિજન, સિલિકોન, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ અને ટાઇટેનિયન જેવા તત્વોની પણ હાજરી છે. વૈજ્ઞાનિકો વિવિધ દાવામાં આ વાત દોહરાવી રહ્યા છે.
નેશનલ સાયન્સ સોસાયટીના એક અહેવાલ અનુસાર ચંદ્રની ધરતી પર બેરિલિયમ, લિથિયમ, ઝિર્કોનિયમ, નિઓબિયમ, ટેન્ટેલમ વગેરે જેવા ઘણા દુર્લભ ખનિજો પણ ચંદ્ર પર મળવાની શક્યતા છે.
માત્ર ધાતુઓની વાત કરીએ તો ચંદ્રની સપાટી પર આયર્ન, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેની શક્યતા વધુ છે. આ સિવાય હવે પાણીના પુરાવા પણ મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
