બદાયૂં ગેંગરેપ પર બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં
નવી દિલ્હી, 4 જૂન: ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર રોજ થઇ રહેલા શારીરિક હુમલાની છબી પર કલંક લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક પછી એક હુમલા અને તેમની પર નેતાઓના સંવેદનહીન નિવેદનો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને ખાસ પ્રકારે ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે સગીરા પર થયેલા બળાત્કાર અને હત્યાનો ઉલ્લેખ કરતા ચિંતા વ્યક્ત કરી છે, એટલું જ નહીં બાન કી મૂને બળાત્કારને યુવકોની ભૂલ ગણાવતા મુલાયમ સિંહ યાદવના નિવેદનને ઠુકરાવવાની અપીલ પણ કરી છે.
બાન કી મૂને જણાવ્યું કે છેલ્લા બે અઠવાડીયામાં અમે આખી દુનિયામાં મહિલાઓ અને યુવતીઓ પર ભયાનક હુમલાઓ જોયા છે. નાઇજીરીયાથી પાકિસ્તાન હોય અથવા તો કેલિફોર્નિયાથી લઇને ભારત હોય. પરંતુ હું ખાસ પ્રકારે હેરાન છું કે ભારતમાં એ બે બાળકીઓ પર માત્ર એટલા માટે બળાત્કાર અને હત્યા થઇ જે માત્ર પોતાના ઘરેથી બહાર નીકળી હતી કે તેમના ઘરે શૌચાલયની સુવિધા ન્હોતી.
આપણે 'યુવાનો તો યુવાનો છે તેમનાથી ભૂલો થઇ જાય' જેવા નિવેદનોને ઠોકર મારવી જોઇએ, આ પ્રકારનો ટોન માત્ર નુકસાન જ પહોંચાડે છે. આપણે સૌને સમજાવવાની જરૂર છે કે મહિલાઓ વિરુદ્ધ ગુના આપણને સૌને નર્કમાં લઇ જાય છે. આ ગુનો શાંતિ, સુરક્ષા અને વિકાસના મુદ્દાઓ સાથે જોડાયેલ છે, આ અપરાધ માનવાધિકારોનું ઉલ્લંઘન છે. હું મારો અવાજ ઉઠાવી રહ્યો છું, હું ઇચ્છું છું કે આપ સૌ મારી સાથે અવાજ ઉઠાવો અને આવા લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરો. અમને શારીરિક હિંસા કોઇ પણ રૂપમાં મંજૂર નથી.
અત્રે સ્પષ્ટ છે કે બાન કી મૂન ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમાં ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બહેનોની ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવા ઉપરાંત કેલીફોર્નિયામાં પ્રેમ ઠુકરાવવાથી નારાજ 22 વર્ષના એક યુવકના હાથે ત્રણ મહિલાઓની હત્યા અને પાકિસ્તાનમાં પોતાની ઇચ્છાથી લગ્ન કરનારી ગર્ભવતી મહિલાને પત્થર મારીને હત્યા કરવાની ઘટનાનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમેરિકાએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે ભારતમાં મહિલાઓની વિરુદ્ધ હિંસા ભયાવહ છે. અમેરિકાએ જણાવ્યું કે જે પણ આ પ્રકારની હિંસાનો શિકાર થઇ રહ્યા છે તેમની સાથે પૂરી સંવેદના છે.
બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં
ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર રોજ થઇ રહેલા શારીરિક હુમલાની છબી પર કલંક લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક પછી એક હુમલા અને તેમની પર નેતાઓના સંવેદનહીન નિવેદનો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને ખાસ પ્રકારે ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે સગીરા પર થયેલા બળાત્કાર અને હત્યાનો ઉલ્લેખ કરતા ચિંતા વ્યક્ત કરી છે, એટલું જ નહીં બાન કી મૂને બળાત્કારને યુવકોની ભૂલ ગણાવતા મુલાયમ સિંહ યાદવના નિવેદનને ઠુકરાવવાની અપીલ પણ કરી છે.
બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં
બાન કી મૂને જણાવ્યું કે છેલ્લા બે અઠવાડીયામાં અમે આખી દુનિયામાં મહિલાઓ અને યુવતીઓ પર ભયાનક હુમલાઓ જોયા છે. નાઇજીરીયાથી પાકિસ્તાન હોય અથવા તો કેલિફોર્નિયાથી લઇને ભારત હોય. પરંતુ હું ખાસ પ્રકારે હેરાન છું કે ભારતમાં એ બે બાળકીઓ પર માત્ર એટલા માટે બળાત્કાર અને હત્યા થઇ જે માત્ર પોતાના ઘરેથી બહાર નીકળી હતી કે તેમના ઘરે શૌચાલયની સુવિધા ન્હોતી.
બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં
આપણે 'યુવાનો તો યુવાનો છે તેમનાથી ભૂલો થઇ જાય' જેવા નિવેદનોને ઠોકર મારવી જોઇએ, આ પ્રકારનો ટોન માત્ર નુકસાન જ પહોંચાડે છે. આપણે સૌને સમજાવવાની જરૂર છે કે મહિલાઓ વિરુદ્ધ ગુના આપણને સૌને નર્કમાં લઇ જાય છે. આ ગુનો શાંતિ, સુરક્ષા અને વિકાસના મુદ્દાઓ સાથે જોડાયેલ છે, આ અપરાધ માનવાધિકારોનું ઉલ્લંઘન છે. હું મારો અવાજ ઉઠાવી રહ્યો છું, હું ઇચ્છું છું કે આપ સૌ મારી સાથે અવાજ ઉઠાવો અને આવા લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરો. અમને શારીરિક હિંસા કોઇ પણ રૂપમાં મંજૂર નથી.
બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં
બાન કી મૂન ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમાં ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બહેનોની ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવા ઉપરાંત કેલીફોર્નિયામાં પ્રેમ ઠુકરાવવાથી નારાજ 22 વર્ષના એક યુવકના હાથે ત્રણ મહિલાઓની હત્યા અને પાકિસ્તાનમાં પોતાની ઇચ્છાથી લગ્ન કરનારી ગર્ભવતી મહિલાને પત્થર મારીને હત્યા કરવાની ઘટનાનો પણ સમાવેશ થાય છે.