Covid: અમેરિકાએ ભારતને આપી આ રાહત, 'લેવલ 3'માંથી 'લેવલ 1' પર રાખ્યુ, હવે અવરજવર સરળ
અમેરિકાથી ભારતીયો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એક એડવાઈઝરી જાહેર કરી છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાથી ભારતીયો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય તો અમેરિકા અવરજવર કરવામાં તમને વધુ મુશ્કેલીઓ નહિ પડે. સીડીસીએ ભારત માટે પોતાના કોવિડ કંટ્રોલ રેકમેન્ડેશનને સુધાર્યુ છે. આના માટે અમે 'લેવલ 3'(હાઈ)થી 'લેવલ 1'(લો)માં નાખી દીધુ છે.

ભારતને 'લેવલ 3'(હાઈ)થી 'લેવલ 1'(લો)માં રાખવાનો અર્થ છે કે જો લોકો સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય તો અમેરિકા તરફથી કોરોના પ્રતિબંધોનુ જોખમ ઘટી શકે છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એ પણ કહ્યુ છે કે ભારત-અમેરિકા વચ્ચે અવરજવર કરનારા એ સુનિશ્ચિ કરે કે તમને સંપૂર્ણપણે રસી લાગી ચૂકી છે અને નવા ડોઝથી પણ અપટેડેટ છો.
આ રીતે અમેરિકાએ ભારત માટે પોતાના કોવિડ ટ્રાવેલ રેકમેન્ડેશનમાં ઢીલ આપી દીધી છે. અમેરિકાના સીડીસીએ કોરોના પ્રકોપને ખૂબ ઓછો હોવાના કારણે ભારતના સંદર્ભમાં લેવલ-1ની હેલ્થ નોટિસ જાહેર કરી છે જે આપણા માટે સારી વાત છે. સાથે જ આ દેશમાં કોરોના મહામારીના નિમ્ન સ્તરના પણ સંકેત આપે છે. આ વખત અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યુ, 'જો તમને સંપૂર્ણપણે અધિકૃત રસીના ડોઝ લાગેલા હશે તો ઓછી મુશ્કેલીઓ પડશે.'
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)ના નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ, 'કૃપા કરીને કોઈ પણ આંતરરાષ્ટ્રીય યાત્રાની યોજના બનાવતા પહેલા રસીકરણ અને રસીકરણ વિનાના મુસાફરો માટે સીડીસીની વિશેષ ભલામણોની સમીક્ષા કરો. જો લોકો સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય, તો મુસાફરીની મુશ્કેલીઓથી બચી શકે છે.'
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
