પુતિનની હરકતથી નારાજ જર્મનીએ 5માંથી 4 રશિયન દુતાવાસ બંધ કરવાનો આપ્યો આદેશ
જર્મનીની સરકારે પાંચમાંથી ચાર રશિયન દુતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જર્મન વિદેશ મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે બર્લિન મોસ્કો સામે બદલો લેવા માટે આ રશિયન વાણિજ્ય દૂતાવાસના લાઇસન્સ રદ કરી રહ્યું છે.
જર્મનીનું પગલું રશિયન સરકારે જર્મન સરકારી અધિકારીઓની સંખ્યા માટે 350 ની ઉપલી મર્યાદા નક્કી કર્યા પછી આવ્યું છે. હકીકતમાં, શનિવારે, રશિયન સરકારે જર્મન કર્મચારીઓને રશિયા છોડીને જર્મની પાછા જવા માટે કહ્યું હતું.

જર્મનીના વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે રશિયામાં જર્મન સંસ્થાઓ માટે કામ કરતા સેંકડો નાગરિક કર્મચારીઓ અને સ્થાનિક કર્મચારીઓને દેશ છોડવો પડશે અથવા તેમની નોકરી ગુમાવવી પડશે.
ગોથે ઈન્સ્ટિટ્યૂટ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન અને મોસ્કોમાં જર્મન શાળાઓ જેવી જાહેર સંસ્થાઓમાંથી જર્મન કર્મચારીઓને હટાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે રશિયન સત્તાવાળાઓએ આ માટે જૂનની શરૂઆત સુધીનો સમય આપ્યો છે.
રશિયાના પગલાથી સેંકડો જર્મનોને અસર થઈ છે. રશિયાના આ આદેશ બાદ કેલિનિનગ્રાડ, યેકાટેરિનબર્ગ અને નોવોસિબિર્સ્કમાં જર્મન વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાની વાત થઈ છે. તેના જવાબમાં જર્મનીએ પણ 5માંથી 4 રશિયન દૂતાવાસોને બંધ કરવાની જાહેરાત કરી છે. હવે માત્ર મોસ્કોમાં જર્મન એમ્બેસી અને સેન્ટ પીટર્સબર્ગમાં દુતાવાસ કાર્યરત રહેશે.
જર્મનીએ ગયા વર્ષે બર્લિનમાંથી 40 રશિયન રાજદ્વારીઓને સુરક્ષાના જોખમને ટાંકીને હાંકી કાઢ્યા હતા. જેના જવાબમાં આ વર્ષે એપ્રિલમાં રશિયાએ દેશમાંથી 20થી વધુ જર્મન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. બદલામાં, મોસ્કોએ પણ બર્લિન પર સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
