આતંકવાદ સામેની લડતમાં ડોનાલ્ડ ટ્રંપે PM મોદીને ફરી આપ્યો ઝાટકો
આતંકવાદ સામે લડાઇના મામલે યુએસ ખુલ્લુ પડ્યુંહક્કાની નેટવર્ક સમાપ્ત કરવા માટે પાકિસ્તાન પર દબાણ, પરંતુ લશ્કર-એ-તોયબાનો ઉલ્લેખ નહીંઆ અંગે વધુ વાંચો અહીં...
ગત અઠવાડિયે અમેરિકા કોંગ્રેસે આતંકવાદને નાથવા માટે પાકિસ્તાનને 70 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી હતી. આ વચ્ચે જે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ મૂક્યું છે, એ સંગઠનોમાં લશ્કર-એ-તોયબાનું નામ નથી. આ કારણે આતંકવાદ વિરુદ્ધ લડવાના મુદ્દે અમેરિકા ફરી એકવાર ખુલ્લુ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત માટે આ કોઇ મોટા ઝાટકા સમાન છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનના અહેવાલો અનુસાર, યુએસ કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે હક્કાની નેટવર્કનું નામ આપ્યું છે. લશ્કર-એ-તોયબા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી તો દૂર અમેરિકાએ આ અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડ્યું છે, જ્યાં અમેરિકા 16 વર્ષથી લડી રહ્યું છે. લશ્કર-એ-તોયબાએ ઘણા વર્ષોથી ભારત વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં અરાજકતા અને અસ્થિરતા ફેલાવવા માટે લશ્કર-એ-તોયબા સતત આતંકીઓ મોકલે છે. વર્ષ 2008માં લશ્કર-એ-તોયબાએ 170 નિર્દોષ લોકોને માર્યા હતા. અનેક વર્ષોથી ભારત માટે મુસીબત રૂપ બનેલ લશ્કર-એ-તોયબા સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ ન કરવું એ અમેરિકા તરફથી ભારતને મળેલ ઝાટકો છે. ભારત વૈશ્વિક મંચ પર અનેકવાર આતંકવાદ વિરુદ્ધ લડવા માટે લશ્કર-એ-તોયબા અને અન્ય આતંકવાદી સંગઠનો સામે લડવા માટે એકજૂટ થવાની વાત કરી ચૂક્યું છે. દિલ્હી સરકાર સતત 'લશ્કર' અને 'જેશ' જેવા પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનોનો સમાવેશ ગ્લોબલ ટેરરમાં કરવામાં આવે એ માટે પ્રયત્નો કરી રહી છે. ડૉનના અહેવાલ અનુસાર, યુએસ કોંગ્રેસ દ્વારા હક્કાની નેટવર્ક સામે કાર્યવાહી કરવા માટે 70 કરોડ ડોલરમાંથી 35 કરોડ ડોલર આપવાની વાત કહેવામાં આવી છે. યુએસ કોંગ્રેસના બિલ અનુસાર, જો પાકિસ્તાન હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે તો અન્ય 35 કરોડ ડોલર આપવામાં નહી આવે. આતંકવાદ સામે લડવા માટે હક્કાની નેટવર્કને સમાપ્ત કરવું, પરંતુ લશ્કર-એ-તોયબા વિરુદ્ધ કાર્યવાહી ન કરવી એ ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમ દર્શાવે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
