દુનિયામાં કેમ નથી વધી રહી યહુદીઓની આબાદી? જાણો અન્ય ધર્મોથી કેવી રીતે અલગ પડે છે?
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યહુદીઓની ચર્ચા થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમામ ધર્મોના લોકોની સંખ્યામાં વધારો થઈરહ્યો છે ત્યારે યહુદીઓની સંખ્યા ઘટી રહી છે.
યુદ્ધ વચ્ચે લોકો યહૂદીઓ વિશે જુદી જુદી બાબતો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં લોકો એક વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વર્ષોથી અસ્તિત્વમાં આવેલા યહુદી ધર્મના લોકોની સંખ્યા વિશ્વમાં કેમ નથી વધી રહી?

વિશ્વના મોટાભાગના યહૂદીઓ ઇઝરાયેલમાં રહે છે. અહીં યહૂદીઓની સંખ્યા લગભગ 70 લાખ આસપાસ છે. આખી દુનિયાની વાત કરીએ તો 2 કરોડથી પણ ઓછા યહૂદીઓ છે.
પુરી દુનિયામાં દિલ્હીની વસ્તી કરતાં યહૂદીઓ છે. હવે સવાલ એ છે કે છેલ્લા ઘણા દાયકાઓમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મોની સરખામણીમાં યહૂદીઓની વસ્તી કેમ વધી નથી? તેની પાછળ કેટલાક કારણો છે.
યહૂદીઓની વસ્તી ઘટી રહી છે અને ઝડપથી વધી રહી નથી તેનું એક કારણ એ છે કે આ સમુદાયમાંથી આવતા લોકોમાં ઉંચો મૃત્યુ દર છે. વિવિધ અભ્યાસો અને સંશોધનોમાં પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. આ સિવાય યહૂદીઓનો નરસંહાર પણ તેનું કારણ માનવામાં આવે છે.
યહૂદીઓની ઓછી વસ્તી માટે ધાર્મિક પરિવર્તનમાં વિશ્વાસ ન હોવો તે પણ છે. યહૂદીઓ ક્યારેય ધર્મ પરિવર્તનમાં સક્રિય રહ્યા નથી, કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક યહૂદીઓએ અન્ય ધર્મ અપનાવ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં યહૂદીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
