Work From Home : ઓછો પગાર અને કોરોના સંક્રમણનું જોખમ વધું, જાણો કારણ
બ્રિટિશ સરકારે લોકોને કોરોનાવાયરસના નવા સ્ટ્રેઇન, ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે ઘરેથી કામ કરવાની સૂચના આપી છે, જેણે આમ કરવામાં અસમર્થ લોકો માટે સમસ્યાઓ ઊભી કરી છે.
Work From Home : બ્રિટિશ સરકારે લોકોને કોરોનાવાયરસના નવા સ્ટ્રેઇન, ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે ઘરેથી કામ કરવાની સૂચના આપી છે, જેણે આમ કરવામાં અસમર્થ લોકો માટે સમસ્યાઓ ઊભી કરી છે.
નવા નિયમમાં પણ આવી જ સમસ્યા છે કે, જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેણે દસ દિવસ સુધી સંપૂર્ણપણે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આ નિયમથી એવા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે, જેમનો પગાર બીમાર પડે ત્યારે કપાઈ જાય છે. તે જ સમયે, તે લોકો પણ ચિંતિત છે, જેઓ ઘરેથી કામ કરી શકતા નથી.
જેના કારણે લોકો બીમાર પડે, ત્યારે પણ કામ પર જવાની મજબૂરી ઉભી કરી છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે, જે લોકો ઓછા પગારવાળા, સ્વ-રોજગાર ધરાવતા અને અસુરક્ષિત નોકરીઓ ધરાવે છે, તેઓને નાણાકીય અવરોધોને કારણે કામ પર જવું પડે છે, જે સંક્રમણ ફેલાવવાનું જોખમ ધરાવે છે. એક અલગ સંશોધનમાં પણ આ વાત સામે આવી છે.
બ્રિટનમાં જો તેઓ બીમાર પડે તો દર અઠવાડિયે 96 પાઉન્ડ આપવાની જોગવાઈ છે, પરંતુ ઘણા લોકો ટકી શકતા નથી, જેના કારણે તેમની પાસે કામ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સિવાય લગભગ એક કરોડ 80 લાખ કર્મચારીઓ એવા છે, જેઓ પૂરતો પગાર મેળવતા ન હોવાથી માંદગીના પગાર માટે પાત્ર નથી.
જ્યારે 50 લાખ લોકો આ સુવિધાથી વંચિત છે. કારણ કે, તેઓ સ્વરોજગાર સાથે સંકળાયેલા છે. ઘણા શરણાર્થીઓ પણ આ લાભ મેળવવાના દાયરામાં નથી. સરકારે ક્વોરેન્ટાઇનમાં રહેતા લોકોને 500 યુરોની ચુકવણીની ઓફર કરી છે, પરંતુ કરાર વગર કામ કરતા હજારો કામદારોને આ લાભ મેળવવો મુશ્કેલ લાગે છે.
તાજેતરના વિશ્લેષણમાં પ્રકાશિત થયું છે કે, યુકેમાં રજાઓની મોસમના અડધા મિલિયનથી વધુ કામદારો માંદા પગાર માટે અરજી કરી શકશે નહીં. આવી સ્થિતિમાં એક તરફ સરકાર ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે ઘરેથી કામ કરવાની વિનંતી કરી રહી છે, તો બીજી તરફ આનાથી આર્થિક રીતે પ્રભાવિત લોકોની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવો જોઈએ. આ માટે કાયદો પસાર કરીને અસરગ્રસ્ત લોકોને આર્થિક સુરક્ષા પૂરી પાડી શકાય.
ઉદાહરણ તરીકે, અમેરિકામાં કોવિડ 19ના પગલે એપ્રિલ 2020માં એક કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં બીમારીની રજા પર બે સપ્તાહનો પગાર ચૂકવવાની જોગવાઈ હતી. આ કાયદાની અસર એ થઈ કે લોકો ઘરોમાં રહેવા લાગ્યા અને દરરોજ સંક્રમણના કેસ 50 ટકા ઓછા થવા લાગ્યા હતા.
આ સિવાય કામ આપતી સંસ્થાઓએ પણ નિયમો અને શરતો અંગે પારદર્શિતા વધારવી જોઈએ. જો આવું થાય તો નવા નિયમોથી પ્રભાવિત લોકોની પરેશાનીઓ ઓછી થઈ શકે છે.