જાણો કેમ મોદીના દ્રષ્ટિકોણને વર્લ્ડ બેંકના પ્રમુખે માન્યો દૂરંદેશી
ન્યૂયોર્ક ખાતે વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિંમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યાં તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને ગંગા સફાઇ જેવા અભિયાનો માટે મોદીના ભરપેટ વખાણ કર્યા.
સંયુક્ત મહારાષ્ટ્રમાં આજે જ્યારે નરેન્દ્ર મોદી સંબોધન કરવા પહોંચ્યા તે વખતે તેમણે વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિમ સાથે પણ મુલાકાત લીધી હતી. વધુમાં સ્વચ્છ ભારત અને ગંગા સફાઇના આ અભિયાનોમાં વર્લ્ડ બેંક ભારતનું મહત્વપૂર્ણ પાર્ટનર છે. ત્યારે મોદીની આ મુલાકાત વિષે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું.

વર્લ્ડ બેંકના પ્રમુખ જીમ યંગ કિંગ મોદીના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે સુધારા થયા છે તેનાથી દુનિયાનો દ્રષ્ટ્રિકોણ ભારત માટે બદલાયો છે. વળી તેમણે કહ્યું કે વર્લ્ડ બેંકને ભારતના સ્વચ્છતા અભિયાન અને ગંગા સફાઇ જેવા અભિયાનોમાં મહત્વપૂર્ણ ફાળો આપતા રહેવામાં ખુશી થશે. અને અમે તમારા સાથ આ રીતે આપવા માટે ઇચ્છુક છીએ.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે ગાંધીજયંતી પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. અને તે ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા અને તેનો જીર્ણોદ્ધાર કરવા માટે કાર્યરત છે. ત્યારે મોદીના કામની પ્રશંશા આટલી મોટી સંસ્થા દ્રારા થાય તે ખરેખરમાં આનંદની વાત છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
