લંડનમાં ભારતીય મૂળની નર્સનું સંદિગ્ધ મોત

ઓસ્ટ્રેલિયન રેડિયો ચેનલ ટૂડે એફએમના બે રેડિયો જોકી મેલ ગ્રેગ અને માઇકલ ક્રિશ્ચિયને મંગળવારે સવારે પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીન એલિજાબેથ સેકન્ડ હોવાનું જણાવી હોસ્પિટલમાં ખોટો ફોન કર્યો અને પ્રિન્સ વિલિયમના પત્નીના સ્વાસ્થ્ય અંગેની ગુપ્ત જાણકારી પૂછી હતી. હોસ્પિટલમાં તે વખતે જેસિંથાએ જ બન્ને રેડિયો જોકીના ફોન રિસિવ કર્યા હતા. આ ઘટનાના ત્રણ દિવસ પછી જેસિંથાનું શંકાસ્પદ અવસ્થામાં મોત નીપજ્યું હોવાની વાત બહાર આવી છે.
જેસિંથા શુક્રવારે સવારે હોસ્પિટલ નજીક જ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી. પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે મોત પાછળનું કારણ શું છે. જો કે, મીડિયામાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે જેસિંથાએ આત્મહત્યા કરી હોવી જોઇએ. જો કે, કિંગ એડવર્ડ હોસ્પિટલે જેસિંથાના મોતની પૃષ્ટિ કરતા અફસોસ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
