સિંગાપોર ભારતીયની હત્યારી શ્રીલંકન પ્રેમિકાને જેલ
શ્રીલંકન નાગરીક થરમલિંગમ પુવનનેસ્વરીને ભારતીય મૂળના પુરુષ મુરગૈયન સેલવમના માથા પર પાંચ કેજીના વજનના ઘંટથી પ્રહાર કરવાના આરોપમાં દોષી જાહેર કરવામાં આવી છે. સમાચાર પત્ર ધ ટૂડેએ મંગળવારે જણાવ્યું કે, સેલવમના ઘરમાં વર્ષ 2009માં થયેલા ઝઘડના દરિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, સિંગાપોરના સ્થાયી નિવાસી સેલવમ ઘરેલુ નોકરાણીનું કામ કરનારી પુવનનેસ્વરીને તેની નિયોક્તાના ઘરેથી અવારનવાર યૌનેચ્છાની તૃપ્તિ માટે લઇ જતો હતો અને હોટલ અને તેને હોટલ અથવા પોતાની કંપનીના પરિસરમાં સ્થિત પોતાના શયનકક્ષમાં લઇ જતો હતો.
ઘટનાની રાતે બન્ને વચ્ચે સેલવમના ઘર પર બોલાચાલી થઇ, ત્યારબાદ પુવનનેસ્વરીને તેણે બે થપ્પડો મારી. સેલવમ સુઇ ગયો પછી પુવનેસ્વરીએ રૂમની બહાર પડેલો ઘંટ જોયો અને તેને તેણે સેલવમના માથા પર માર્યો. મહિલાએ ઘારદાર વસ્તુથી પણ તેના માથાપર હુમલો કર્યો હતો.