ભારત-પાકિસ્તાન વચ્ચેના 5 ઐતિહાસિક મુકાબલા, જે ક્યારેય નહીં ભુલાય!
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપમાં મહા મુકાબલો જોવા મળશે. આ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે બાબર આઝમ પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપમાં મહા મુકાબલો જોવા મળશે. આ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે બાબર આઝમ પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરશે. આ બંને ટીમો વચ્ચે હંમેશા રોમાંચક મેચ યોજાયા છે. ક્રિકેટ ચાહકો આજ સુધી કેટલીક મેચ ભૂલી શક્યા નથી. આવો જાણીએ આવી પાંચ મેચ વિશે, જે આજે પણ ક્રિકેટ ચાહકોના મનમાં છે.
1986: જાવેદ મિયાંદાદે ચેતન શર્માના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા એશિયા કપની ફાઇનલમાં બંને ટીમો સામસામે આવી હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી અને 50 ઓવરમાં 245 રન બનાવ્યા. સુનીલ ગાવસ્કરે ટીમ માટે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા, જ્યારે ક્રિસ શ્રીકાંત (75) અને દિલીપ વેંગસરકર (50) એ અડધી સદી ફટકારી હતી. જવાબમાં પાકિસ્તાને 50 ઓવરમાં નવ વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર પાકિસ્તાનને જીતવા માટે ચાર રનની જરૂર હતી. જાવેદ મિયાંદાદે ચેતન શર્માની બોલ પર સિક્સર ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. તેણે મેચમાં અણનમ 116 રન બનાવ્યા હતા.
1987: ભારતે ટાઈ મેચ જીતી
હૈદરાબાદમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 212 રન બનાવ્યા હતા. રવિ શાસ્ત્રીએ અણનમ 69 રન બનાવ્યા હતા. કેપ્ટન કપિલ દેવે 59 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 7 વિકેટે 212 રન બનાવ્યા હતા. મેચ ટાઈ સાથે પુરી થઈ હતી. પરંતુ ભારતીય ટીમે છ વિકેટે 212 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી હતી. આ સ્થિતિમાં ભારતીય ટીમે 212 ના સ્કોર સુધી પાકિસ્તાન કરતા ઓછી વિકેટ ગુમાવી હતી, તેથી ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
2003 : સચિન તેંડુલકરે પાકિસ્તાની બોલરોને ફટકાર્યા
સેન્ચુરિયનમાં તે મેચ કોણ ભૂલી શકે જેમાં સચિન તેંડુલકરની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટે 273 રન બનાવ્યા હતા. સઇદ અનવરે 101 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગના સહયોગથી શાનદાર શરૂઆત કરી હતી. પાકિસ્તાની બોલરોની ખબર લેતા સચિને 75 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 98 રનની ઈનિંગ રમી હતી. સેહવાગે 21 રન બનાવ્યા હતા. મોહમ્મદ કૈફે 35 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહ (50) અને રાહુલ દ્રવિડ (44) પર અણનમ રહ્યા અને 6 વિકેટે ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
2007: ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો
વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની આ બીજી મેચ હતી. ભારતે ટોસ જીતીને 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. ભારત તરફથી ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 30 રને અણનમ રહ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 77 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મિસ્બાહ ઉલ હકે 43 રન બનાવી ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. પાકિસ્તાને છેલ્લા ચાર બોલમાં છ રન બનાવવાના હતા. તેની 9 વિકેટ પણ પડી ગઈ હતી, પરંતુ જોગિન્દર શર્માએ મિસબાહ-ઉલ-હકને આઉટ કરીને ભારતને 5 રને વિજય અપાવ્યો હતો.
2011: ભારતે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું
ભારતે 2011 માં વર્લ્ડ કપ જીત્યો હતો. અહીં સેમી ફાઇનલ મેચ ફાઇનલ કરતા વધુ રોમાંચક હતી. મોહાલીમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 260 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 85 અને વિરેન્દ્ર સહેવાગે 38 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના વહાબ રિયાઝે શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને 231 રને હરાવ્યું અને મેચ 29 રને જીતી લીધી.