પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ
નવી દિલ્હી, 13 ઑગસ્ટઃ એક તરફ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સંઘર્ષ કરી રહી છે અને પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી પાછળ છે, જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાની ખાસી ટીકા થઇ રહી છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલીના નામોની ભલામણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો માટે કરી છે.
બીસીસીઆઇએ ધોની અને કોહલીના નામોની ભલામણ ખેલ મંત્રાયલને કરી. મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની મિતાલી રાજનું નામ પદ્મશ્રી પુરસ્કાર માટે નામિત કર્યું છે. ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મશ્રી પુરસ્કારથી 2009માં સન્માનિત કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ-પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો
આ પણ વાંચોઃ-કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
આ પણ વાંચોઃ-' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ

ધોનીના નામની ભલામણ પદ્મભૂષણ માટે
ધોનીના નામની જાહેરાત પદ્મભૂષણ માટે કરવામાં આવી છે. ધોનીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ વનડે અને ટી20નો વિશ્વકપ જીત્યો. આ ઉપરાંત ગત વર્ષે ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે સીમિત ઓવરની તમામ મહત્વપૂર્ણ આઇસીસી ટૂર્નામેન્ટ જીતી છે.

વિરાટના નામની ભલામણ પદ્મશ્રી માટે
વિરાટ કોહલીના નામની જાહેરાત પદ્મશ્રી માટે કરવામાં આવી છે. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે, તો આ ઇંગ્લેન્ડ પ્રવાસને બાદ કરીને કોહલીએ દેશ માટે વિરાટ પ્રદર્શન કર્યું છે. ક્રિકેટના તમામ ફોર્મેટના તેમના પ્રદર્શનને નકારી શકાય તેમ નથી.

અર્જુન પુરસ્કાર માટે અશ્વિનનું નામ
આ વખતે ખેલ રત્ન પુરસ્કાર માટે એકપણ ખેલાડીનું નામ મોકલવામાં આવ્યું નથી. જ્યારે અર્જુન પુરસ્કાર માટે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાની હેઠળની 12 સભ્યોની ટીમે 15 ખેલાડીઓના નામ પસંદ કર્યા છે, જેમાં ક્રિકેટર આર અશ્વિનનું નામ પણ સામેલ છે.

અન્ય ખેલાડીઓના નામ અર્જુન પુરસ્કાર માટે
અર્જુન ઉપરાંત અખિલેશ શર્મા( તીરંદાજી), ટિંટૂ લૂકા(એથલેટિક્સ), એચએન ગિરીશા(પેરાલમ્પિક), વી દીજૂ(બેડમિન્ટન), ગીતૂ આન જોસ(બાસ્કેટબોલ), જય ભગવાન(મુક્કેબાજી), અનિર્બાન લાહિડી(ગોલ્ફ), મમતા પુજારી(કબડ્ડી), સાજી થોમસ(રોઇંગ), હીના સિદ્ધૂ(નિશાનેબાજી), અનાકા અલંકામોની(સ્ક્વોશ), ટોમ જોસેફ(વોલિબોલ), રેનુબાલા ચાનૂ(વેટલિફ્ટિંગ) અને સુનિલ રાણા(કુશ્તિ)ના નામની ભલામણ કરવામાં આવી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
