સટ્ટેબાજી ફક્ત આઇપીએલની સમસ્યા નથી: દ્રવિડ
કલકત્તા, 25 મે: સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં ભલે આઇપીએલની છબિ ભલે ખરડાઇ ગઇ હોય અને રાજસ્થાન રોયલ્સની છબિને ખૂબ નુકસાન પહોંચાડ્યું હોય પરંતુ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું હોય કે ટ્વેન્ટી-20 લીગને પ્રતિબંધિત કરીને કંઇ સારું થઇ શકે નહી કારણ કે તેમાં ઘણી સારી વસ્તુઓ છે.
મુંબઇ ઇન્ડિયંસની સામે બીજી ક્વાલીફાયમાં ચાર વિકેટે હારનો સ્વાદ ચાખ્યા બાદ આઇપીએલ-6 માંથી બહાર થયા બાદ દ્રવિડે કહ્યું હતું કે તમારે પડકારોનો સામનો કરવો પડશે. જો તમે ટૂર્નામેન્ટને બંધ કરી દેશો તો આ પ્રમાણે જ થશે જેવી રીતે બાળકને નવડાવવાની સાથે પાણીની સાથે ફેંકવું.
તેમને કહ્યું હતું કે અમે આઇપીએલને રદ કરવા જેવા મોટું નિવેદન આપવા છતાં આ મુદ્દાઓનો સામનો કરવાની જરૂરિયાત છે. કારણ કે ટૂર્નામેંટને ઘણી સારી સકારાત્મક વસ્તુઓ મળી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટને 16 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ સંન્યાસ લીધો હતો. તેમને કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ફિક્સિંગ થતું હતું.
દ્રવિડે કહ્યું હતું કે આપણે આના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બંધ ના કરી શકીએ. જો આ માપદંડ અપનાવવા જઇશું તો આપણે બધા પ્રકારની ક્રિકેટને બંધ કરી દેવી જોઇએ. આ કેટલાક પડકારોને યોગ્ય કરવાનો સવાલ છે. સટ્ટેબાજીનો મુદ્દો ફક્ત આઇપીએલ નથી. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આ મુદ્દો ઉપસ્થિત છે.