એંડરસને કર્યો રવિન્દ્ર જાડેજા પર વંશીય હુમલો, લાગી શકે છે પ્રતિબંધ
નૉટિંગમ, 16 જુલાઇ: આઇસીસીએ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એંડરસન પર હાલની સીરિઝની પહેલી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથે ખોટો વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. આઇસીસીએ એંડરસન પર જાડેજાને કથિત રીતે 'ગાળો ભાંડવા અને ધક્કો મારવા'નો આરોપ લગાવ્યો છે.
ઘટના ત્યારે બની જ્યારે ભારતની બેટિંગ દરમિયાન ગુરુવારે બંને ખેલાડી લંચ માટે મેદાનમાંથી નિકળતા હતા. ભારતીય ટીમે એંડરસનની ફરિયાદ નોંધાવી હતી. એંડરસન પર કોડ ઓફ કંડક્ટ તોડવાનો આરોપ લાગ્યો છે.
આઇસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નિયમાનુસાર એંડરસન પર 'લેવલ 3'નો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંતર્ગત ખેલાડી પર બેથી ચાર ટેસ્ટ અથવા તો ચારથી આઠ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. મામલાની સુનવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ ઇસીબીએ જણાવ્યું કે એંડરસન અને જાડેજાની વચ્ચે આ સામાન્ય ઘટના હતી. ઇસીબીએ એ પણ જણાવ્યું છે કે જો આ મામલાને આગળ વધારવામાં આવ્યો તો તેઓ પણ જાડેજાની વિરુધ્ધ ફરિયાદ કરશે.