IND vs AUS : એડિલેડ વનડેમાં વરસાદની કેટલી સંભાવના?
પર્થમાં વરસાદથી પ્રભાવિત વનડે મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા હવે બીજી વનડે માટે તૈયાર છે. ગુરુવારે ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરો' જેવી સ્થિતિ ઊભી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાવાની છે.
પ્રથમ વનડેમાં વરસાદે રમતને અસર કરી હતી અને ફરી એકવાર હવામાન ચર્ચામાં છે. સવાલ એ છે કે શું એડિલેડમાં વરસાદ ફરી એકવાર ટીમ ઇન્ડિયાની યોજનાઓ પર પાણી ફેરવી દેશે? પ્રથમ મેચમાં વરસાદને કારણે રમત ટૂંકી થઈ ગઈ હતી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઇન્ડિયાની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી લક્ષ્ય હાંસલ કરીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. હવે એડિલેડમાં ભારત પાસે વાપસી કરવાની તક છે, પરંતુ હવામાન ફરી પડકાર બની શકે છે.
એડિલેડમાં બુધવારે હળવા વરસાદની 20% સંભાવના છે. આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને તાપમાન લગભગ 19°C રહેવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે ઠંડી અને વાદળછાયી સાંજની શક્યતા છે. અગાઉ સોમવાર અને મંગળવારે પણ વરસાદ પડ્યો હતો.
પિચને સૂકવવા માટે યુવી લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેચ દરમિયાન કોઈ મોટી ચેતવણી નથી જે મેચ રદ કરી શકે, વરસાદની સંભાવના 10 ટકાથી પણ ઓછી છે. તેથી ચાહકોને સંપૂર્ણ મેચ જોવા મળશે તેવી અપેક્ષા રાખવી જોઈએ.
એડિલેડ ઓવલની પિચ પરંપરાગત રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ તાજેતરના વરસાદને કારણે સપાટીમાં થોડી ભેજ રહી શકે છે. શરૂઆતની ઓવરોમાં સ્વિંગ બોલરોને મદદ મળી શકે છે.
આ કારણે ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો વિચાર કરી શકે છે, જેથી શરૂઆતમાં ફાયદો ઉઠાવી શકાય અને પછી લક્ષ્યનો પીછો કરી શકાય.
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયામાં નીચલા ક્રમથી બોલિંગમાં પરિવર્તન જોવા મળી શકે છે. હર્ષિત રાણાને કદાચ બહાર રાખવામાં આવી શકે છે. આ બધી બાબતો ટોસ સમયે જ સ્પષ્ટ થઈ શકશે.












Click it and Unblock the Notifications
