RCB વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચલાવવા આપી મંજૂરી, નાસભાગ કેસના રિપોર્ટના આધારે કર્ણાટક સરકારનો નિર્ણય
Karnataka Government Approves Criminal Case Against RCB: બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક સરકારે IPLની ટીમ RCB અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. જસ્ટિસ માઈકલ ડી'કુન્હા આયોગના રિપોર્ટ બાદ રાજ્યના મંત્રીમંડળે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટના આધાર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RCB ટીમે IPLની ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુમાં પરેડ તથા સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા કરાયેલી ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે.
રિપોર્ટમાં કયા કયા ખુલાસા થયા ?
આ કાર્યક્રમના આયોજક DNA Networks Pvt. Ltd ત્રીજી જૂને પોલીસને માત્ર જાણ કરી હતી. મંજૂરી નહોતી લીધી. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસે મંજૂરી આપવાનો જ ઈનકાર કર્યો હતો.
પોલીસ મંજૂરી ન હોવા છતાં RCBએ સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો કે ચોથી જૂને કાર્યક્રમ થશે. કોહલીએ વીડિયો સંદેશ પાઠવ્યો અને ફેન્સને આવવાની અપીલ કરી, જેમાં કહેવાયું તમામને ફ્રી એન્ટ્રીનો દાવો કરાયો હતો. આ કારણસર કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઇ ગઈ.
આ કાર્યક્રમ શરૂ થયાના થોડા જ સમય પહેલા 3.14 વાગ્યે આયોજકોએ અચાનક જાહેરાત કરી કે પાસ હશે તો જ સ્ટેડિયમના એન્ટ્રી મળશે, જેથી વધુ અરાજકતા સર્જાઈ હતી. આમ, RCB, DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન વચ્ચે સંકલનનો જ અભાવ હતો. તેથી ગેટ ખોલવામાં વિલંબ થવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ.
પોલીસે દાવો કર્યો છે કે, સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે નાના અને સીમિત કાર્યક્રમની જ મંજૂરી આપી હતી. આ ઘટના બાદ FIR નોંધાઈ અને તપાસ શરૂ થઈ. આ ઘટના બાદ મુખ્યમંત્રીના સચિવ સસ્પેન્ડ કરાયા તેમજ ઈન્ટેલિજન્સ ચીફની બદલી કરાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
