ICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છે
ICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છે
નવી દિલ્હીઃ ચેન્નઈ ટેસ્ટમાં ભારતીય ટીમ ખરાબ રીતે હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ચ ચેમ્પિયનશિપના ફાઈનલમાં રમવા માટે વધુ મજબૂતીથી ડગલું માંડ્યું છે. ન્યૂઝીલેન્ડ પહેલે જ ફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. ચેન્નઈ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ આ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર હતી પરંતુ હવે ઈંગ્લિશ ટીમે નંબર એક સ્લોટ પર કબ્જો જમાવી લીધો છે.

ઈંગેલ્ડના કુલ પીસીટી ટકાવારી 70.2 થી ગયા છે અને તેના કુલ અંક હવે 442 થઈ ગયા છે. બીજી તરફ ભારતને જબરદસ્ત નુકસાન થયું છે અને સીધું ચોથા નંબરે ખસકી ગયું છે. ભારતના પીસીટી ટકાવારી હવે માત્ર 68.3 છે અને તેના અંક 430 છે. અંકના આધારે ભારત હજી પણ બીજી બેસ્ટ ટીમ છે પરંતુ પીસીટીના આધારે ભારત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પાછળ છે.
ન્યૂઝીલેન્ડ 70 ટકા પીસીટી સાથે બીજા નંબરે છે. અને ઓસ્ટ્રેલિયા 60.2 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ ભારત માટે અજીબ સ્થિતિ છે કેમ કે ઓસ્ટ્રેલિયાને તેમના ઘરે માત આપ્યા બાદ ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં આવી ફજેતી કરશે તેવી કોઈને કલ્પના નહોતી.
ભારતને હવે ફાઈનલમાં પહોંચવા માટે આગલી ત્રણમાંથી બે ટેસ્ટ મેચ જીતવી પડશે. જો ઈંગ્લેન્ડની ટીમ આગલી ત્રણમાંથી બે ટેસ્ટ જીતી લે છે તો તે ફાઈનલમાં પહોંચી જશે.
ફાઈનલમાં પહોંચવા માટે કોની પાસે કેવા ચાન્સ છે?
જો ભારત ફાઈનલમાં પહોંચવા માગે છે તો તેણે ઈંગ્લેન્ડને 2-0, 2-1, 3-0, 3-1 અથવા 4-1થી હરાવવું પડશે.
જો ઈંગ્લેન્ડે ફાઈનલમાં પહોંચવું હોય તો તેમે ભારતને હાલની સીરિઝમાં 3-0, 3-1 અથવા 4-0થી હરાવવું પડશે.
જો ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પહોંચવું હોય તો ભારત અને ઈંગ્લેન્ડની સિરીઝમાં 0-0 અથવા 2-2થી ડ્રો કરવો પડશે. અથવા ઈંગ્લેન્ડની ટીમે ભારતને 1-0, 2-1 અથવા 2-0થી માત આપે ત્યારે જ કાંગારુ ટીમ ફાઈનલમાં પહોંચી જશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
