આફ્રિદીની કહેવાતી ગર્લફ્રેન્ડ અર્શી ખાન વિરુદ્ધ જાહેર થયો ફતવો
અર્શી ખાન, તેના વિવાદિત નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ મોડેલના નામની ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે તેનું નામ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટર શાહિદ અફરીદી સાથે જોડવામાં આવ્યું. કેટલીક વેબસાઇટે જ્યારે આ લોકોના અફેરની ચર્ચા કરી ત્યારે અર્શી ખાનનું નામ સમાચારોમાં આવવા લાગ્યું.
જો કે તે બાદ તેણે કહેવાતી ધર્મગુરુ રાધે માં પર સેક્સ રેકેટ ચલાવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ અર્શી ખાન અને તેના નિવેદનોની ખબરો અવરનવાર મીડિયામાં નોંધ લેવાવા લાગી. પણ હાલમાં આ જ કારણે અર્શી ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે.
અર્શી ખાને સોશ્યલ મીડિયા સાઇટ પર તેના અને શાહિદ આફ્રિદી વચ્ચે શારીરિક સંબંધ હોવાની વાત કરી છે. જે બાદ પાકિસ્તાનમાં તેના વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કયા કારણો સર અર્શી ખાન પર ફતવો જાહેર કરાયો છે. તથા આ પહેલા અર્શી ખાનનું નામ કેવા કેવા વિવાદો સાથે જોડાયેલું છે તે વિષે વિસ્તૃત માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અર્શી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
અર્શી ખાન વિરુદ્ધ પાકિસ્તાનમાં ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. કારણ કે અર્શીએ પાક. ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ હોવાની વાત ઉચ્ચારી હતી. જે બાદ તેની સામે ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે તેણે આમ કરીને પાકિસ્તાન અને ઇસ્લામનું અપમાન કર્યું છે.

અર્શીએ દાખલ કરી ફરીયાદ
ફતવા પર પ્રતિક્રિયા આપતા અર્શીએ ફતવાના વિરુદ્ધ પોલિસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે કહ્યું છે કે અફરીદીને પ્રેમ કરે છે. અને ઇસ્લામ મુજબ મારી અને અફરીદીના લગ્ન પણ થઇ શકે છે. જો કે આ મામલે અફરીદી કોઇ નિવેદન જાહેર નથી કર્યું.

અર્શી અને વિવાદ
નોંધનીય છે કે અર્શી ખાનનું નામ સમાચારોમાં આવવા પાછળ પણ શાહિદ અફરીદી કારણભૂત છે. એક વેબસાઇટમાં તેના અને આફરીદીના અફેરની વાત ચર્ચાઇ હતી. તેમાં તેવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દુબઇની હોટલમાં આ બન્ને એકાંતની પળો માણી હતી.

અર્શી ખાન અને રાધે માં
જો કે તે બાદ અર્શી ખાને પોતાને દુર્ગાનું સ્વરૂપ કહેનાર રાધેમાં પર પણ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે રાધે માં સતસંગની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચલાવે છે.

અર્શી ખાન અને રાધે માં
તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે રાધેમાંના જ એક એજન્ટે તેને આ સેક્સ રેકેટમાં જોડાવા માટે કહ્યુ હતું. જેની તેણે ના પાડી હતી.

અર્શી ખાન અને FIR
આ પહેલા પણ અર્શી ખાન પોલિસ ચોપડે ફરિયાદ નોંધાવી ચૂકી છે. અર્શી ખાનનું કહેવું છે કે કેટલાક લોકો તેને સોશ્યલ મીડિયા દ્વારા અને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વળી અર્શી ખાને આરોપ લગાવ્યો છે કે આ તમામ ધમકી ભરેલા કોલ તેને પાકિસ્તાનથી આવી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
