બેટિંગ દરમ્યાન વિરાટ કોહલી સફેદ જૂતાં કેમ પહેરે છે, ખુલાસો કર્યો
બેટિંગ દરમ્યાન વિરાટ કોહલી સફેદ જૂતાં કેમ પહેરે છે, ખુલાસો કર્યો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીમાં એક અંધવિશ્વાસ છે. કોહલીએ મેનચેસ્ટર સિટીના બૉસ પેપ ગાર્ડિયોલાને ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમ્યાન કહ્યું કે, "મને સફેદ જૂતાં પહેરીને રમવું બહુ પસંદ છે. આ મારા માટે એક અંધવિશ્વાસથી વધુ છે."

31 વર્ષીય કોહલીએ કહ્યું, "જ્યારે હું બેટિંગ કરું છું, તો આ મારા ક્ષેત્ર અને સમય છે કે હું ખુદની બહુ નજીક રહું અને પ્રદર્શન કરું." કોહલીએ ગાર્ડિયોલાને તેમના રમવાના દિવસોમાં તેમના જૂતાના રંગ બદલવા વિશે પૂછ્યું. જેના પર મેનચેસ્ટર સિટીના બૉસે જવાબ આપ્યો, "જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે બધા જૂતાં કાળાં હતાં. હવે કાળા રંગના જૂતા શોધવા બહુ મુશ્કેલ છે. એક દિવસ જ્યારે મેં લાલ જૂતાં પહેર્યાં તો મારા ગુરુ અને સૌથી સારા મેનેજર જોહાન ક્રૂફીએ કહ્યું કે તું કાળાં જૂતાં પહેર."
ગાર્ડિયોલાએ આગળ ખુલાસો કર્યો કે ચાલી રહેલ કોવિડ 19 મહામારી દરમ્યાન પ્રશંસકો વિના ફુટબોલ મેચનું આયોજન દોસ્તાના ગેમની જેમ થાય છે. ફેન્સ વિના આ પહેલા જેવું નથી રહ્યું, અમને મેદાનમાં તેમની જરૂરત છે અને જ્યારે બધું ઠીક થઈ જાય ત્યારે તેઓ મેદાનમાં વાપસી કરે તેનાથી સારું શું હોય શકે છે. અમે પ્રશંસકોને મિસ કરી રહ્યા છીએ.
જ્યારે કોહલી હાલ યૂએઈમાં આઈપીએલ 2020 રમી રહ્યો છે. 13મી સીઝનમાં તે આરસીબીને લીડ કરી રહ્યો છે. આરસીબી 7 મેચમાં 5 જીત સાથે ત્રીજા સ્થાને છે. આ વખતે ટીમ પ્લોઑફમાં જવા માટે દાવેદાર બની ચૂકી છે
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
