'હું તેને બીજો મોકો આપેત નહીં', રહાણે વિશે આ ક્રિકેટરે આપ્યું નિવેદન
રહાણેએ પ્રથમ દાવમાં 9 રનના સ્કોર પર કગિસો રબાડાની બોલ પર સ્લિપમાં કેપ્ટન ડીન એલ્ગરના હાથે કેચ આઉટ કર્યા બાદ તેનો દાવ પૂરો કર્યો હતો. પછી બીજા દાવમાં પણ એક રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો.
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં ધમાકેદાર અડધી સદી ફટકાર્યા બાદ ન્યૂલેન્ડ્સમાં સિરીઝની ત્રીજી ટેસ્ટ ફ્લોપ સાબિત થયો હતો. તે બે ઇનિંગ્સમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું મોટું નિવેદન સામે આવ્યું
રહાણેએ પ્રથમ દાવમાં 9 રનના સ્કોર પર કગિસો રબાડાની બોલ પર સ્લિપમાં કેપ્ટન ડીન એલ્ગરના હાથે કેચ આઉટ કર્યા બાદ તેનો દાવ પૂરો કર્યો હતો. પછી બીજા દાવમાં પણ એક રન બનાવીને પેવેલીયન પરત ફર્યો હતો. તેમનું ખરાબ ફોર્મ ભારતીય બેટિંગ ઓર્ડર પર વધુ દબાણ લાવી રહ્યું છે. આવી સ્થિતિમાં ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
પુજારાને હું એક મજબૂત ખિલાડી તરીકે જોઉં છું
તેમણે કહ્યું કે, જો તે ત્યાં હોત તો રહાણેને વધુ એક મેચ પણ ન આપત. ESPNcricinfo સાથે વાત કરતા, માંજરેકરે કહ્યું કે, તેણે પાછા જઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની જરૂર છે અને તેની ખોવાયેલું ફોર્મ પરત મેળવવું પડશે. હું રહાણેને બીજો મોકો આપીશ નહીં. પુજારાને હું એક મજબૂત ખિલાડી તરીકે જોઉં છું.
રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણીમાં 6 ઇનિંગ્સમાં 48, 20, 0, 58, 9, 1 રન બનાવ્યા
માંજરેકરે જણાવ્યું કે, છેલ્લા 3-4 વર્ષોમાં રહાણે વિશે એવું કંઈ નથી બન્યું કે, તે ફોર્મમાં પાછો આવી રહ્યો છે. તેને તેની ઝલક ત્યારે મળી જ્યારે તેણે મેલબોર્નમાં સદી ફટકારી, પરંતુ કંઇ નોંધવા લાયક નથી. ગત વર્ષે MCG ખાતે ઓસ્ટ્રેલિયા સામે 112 રનની ઇનિંદગ્સ રમ્યા બાદ, અજિંક્ય રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને ઇંગ્લેન્ડ સામે પણ કોઈ પ્રભાવશાળી ઇનિંગ રમી શક્યો નથી. રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણીમાં 6 ઇનિંગ્સમાં 48, 20, 0, 58, 9, 1 રન બનાવ્યા હતા.
માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો છે
2021 માં ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 15 મેચમાં 20.25 ની સરેરાશથી માત્ર 547 રન જ બનાવી શક્યો છે. 67ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે તે માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો છે. તે 11 વખત સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો, જેના કારણે તે પ્રેસરમાં હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
