ICC એવોર્ડની ઘોષણા: અશ્વિનને મળ્યા બે મહત્વના સમ્માન
આઇસીસી એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. બે મહત્વના એવોર્ડ આર અશ્વિનને આપવામાં આવ્યા છે. મિસ્બાહ સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ...
આઇસીસી એવોર્ડની આજે ઘોષણા કરવામાં આવી જેમાં ટીમ ઇંડિયાના આર અશ્વિનનો દબદબો રહ્યો. આર અશ્વિનને આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરની સાથે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે.

પસંદગી સમિતિમાં રાહુલ દ્રવિડ
આઇસીસીએ જે નામો પર પસંદગી કરી છે તેની પસંદગી કાઉંસીલના સભ્યોના મતોના આધારે કરવામાં આવી છે જેમ ટીમ ઇંડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ છે.
મરેસ ઇરેસ્મસ અમ્પાયર ઓફ ધ યર
આ પહેલા અમ્પાયર ઓફ ધ યરના એવોર્ડની ઘોષણા કરવામાં આવી જેમાં દક્ષિણ આફ્રિકાના મરેસ ઇરેસ્મસને આ ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા. તેમજ સ્પિરિટ ઓફ ક્રિકેટનો ખિતાબ પાકિસ્તાનના કેપ્તન મિસ્બાહ ઉલ હકને મળ્યો.
મિસ્બાહ પહેલો પાકિસ્તાની ખેલાડી છે જેને આ ખિતાબ મળ્યો છે, આ પહેલા એમએસ ધોનીને 2011, ડેનિયલ વિટોરી 2012, મહેલા જય વર્ધને 2013, કેથરિન બ્રંટ 2014, બ્રેડમ મેક્કુલમ 2015 ને આ ખિતાબ મળ્યો હતો.
ઇરેસ્મસ પાંચમો એમ્પાયર છે જેને આ ખિતાબ મળ્યો છે. આ પહેલા સાઇમન ટફેલને 2004-2008, અલીમ દારને 2009-2011, કુમાર ધર્મસેનાને 2012 અને રિચર્ડ કેટલબ્રાને 2013-15 માં મળ્યો હતો.
છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધારે થઇ પસંદગી
ખેલાડીઓને આ ખિતાબ તેમના છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવ્યા છે કે જે 14 સપ્ટેમ્બર, 2015 થી 20 સપ્ટેમ્બર, 2016 દરમિયાનના છે. આ ખિતાબ માટે ખેલાડીઓની પસંદગી સમિતિમાં રાહુલ દ્રવિડ, ગેરી કસ્ટર્ન, કુમાર સંગાકારા જેવા દિગ્ગજ સામેલ છે.
આઇસીસી એવોર્ડ 2016
ક્રિકેટર ઓફ ધ યર- આર અશ્વિન.
ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર - આર અશ્વિન.
સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ - મિસ્બાહ ઉલ હક.
અમ્પાયર ઓફ ધ યર - મરેસ ઇરેસ્મસ.
ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર - મુસ્તફિજુર રહેમાન.
વન ડે ક્રિકેટર ઓફ ધ યર - ક્વિંટન ડી કોક.
ટી-20 પર્ફોર્મંસ ઓફ ધ યર - કાર્લોસ બ્રેથવેટ.
મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર - સૂજી બેટ્સ.
ટી-20 મહિલા ક્રિકેટર ઓફ ધ યર - સૂજી બેટ્સ
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
