ICC રેકિંગમાં વિરાટ ચોથા ક્રમે યથાવત, શિખરની છલાંગ
દુબઇ, 31 માર્ચ: સેમીફાઇનલમાં ભારતની કરારી હારનું કારણ બનેલા વિરાટ કોહલી માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. તેઓ આઇસીસી વનડે બેટ્સમેનોની રેકિંગમાં ચોથા નંબર પર યથાવત છે, તેમની રેકિંગમાં કોઇ ફેરફાર થયો નથી, હા ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ એટલે કે શિખર ધવનને ચોક્કસ એક ક્રમનો ફાયદો થયો છે, અને તેઓ રેકિંગમાં નંબર 6ની પોઝિશન પર આવી ગયા છે.

આ બધા ઉપરાંત ભારતીય ઓપનર રોહિત શર્મા સાત ક્રમની છલાંગ લાગાવીને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને પાકિસ્તાનના મિસબાહ ઉલ હકની સાથે 12માં સ્થાન પર પહોંચી ગયા. આ બધાની ઉપરાંત બોલરોની સૂચિમાં વિશ્વકપમાં 15 વિકેટ લેનાર ભારતીય બોલર ઉમેશ યાદવ પહેલીવાર શ્રેષ્ઠ 20માં પહોંચ્યા છે. તેઓ 16 ક્રમ ઉપર ઉઠીને ઇંગ્લેંડના જેમ્સ ટ્રેડવેલની સાથે 18માં સ્થાન પર છે.












Click it and Unblock the Notifications
