IND vs ENG: વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમનું એલાન કર્યું
IND vs ENG: વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમનું એલાન કર્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જાહેર દ્વિપક્ષીય શ્રૃંખલા હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે પહેલા 4 મેચની ટેસ્ટ સિરીઝમાં 3-1થી જીત હાંસલ કરી જ્યારે 5 મેચની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી. જે બાદ હવે બંને ટીમો વચ્ચે પુણેના મેદાનમાં 23 માર્ચથી 3 મેચની વનડે સિરીઝ રમાશે. જેને લઈ ભારતીય ટીમે પહેલે જ પોતાની વનડે ટીમનું એલાન કરી દીધું હતું, હવે રવિવારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે પણ ભારત વિરદ્ધ વનડે સિરીઝ માટે 14 સભ્યોની ટીમનું એલાન કરી દીધું છે.

ઈસીબી તરફથી ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે, જોફ્રા આર્ચરની ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. ઈસીબીએ સ્પષ્ટ કર્યું કે જોફ્રા આર્ચર વનડે સિરીઝમા સામેલ નહિ થાય અને જલદી જ ઈંગ્લેન્ડ પરત ફરશે, જ્યાં તેમની કોણીની ઈજાનો ઈલાજ કરાશે.
ઉલ્લેખનીય છે કે જોફ્રા આર્ચર પાછલા થોડા સમયથી કોણીની ઈજાથી પિડાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખતાં તેમને ટેસ્ટ સિરીઝની બીજી અને ચોથી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ટેલિગ્રાફમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ આર્ચરને કોણીની ઈજા માટે ત્રીજું ઈંજેક્શન આપવામાં આવશે અને તેઓ આઈપીએલ 2021થી પણ પોતાનું નામ પરત લઈ શકે છે.
જ્યારે ઈસીબીએ જેક બૉલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાનને વનડે ટીમ સાથે કવરના રૂપમાં જોડી રાખવાનો ફેસલો લીધો છે જેઓ અમદાવાદથી ટીમ સાથે પુણે આવશે.
ઈંગ્લેન્ડે જે ટીમનું એલાન કર્યું તેમાં સૈમ બિલિંગ્સ, લિયામ લિવિંગ્સ્ટોન, મૈટ પાર્કિંસન અને રીસ ટૉપ્લેને જગ્યા આપવામાં આવી છે જેઓ ટી20 ટીમ સાથે અલગથી જોડાશે. જ્યારે લગભગ આખી ટી20 ટીમને વનડે ટીમ માટે પસંદ કરી લેવામાં આવી છે.
આવી છે ઈંગ્લેન્ડની ટીમઃ
ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેયરસ્ટો, સૈમ બિલિંગ્સ, જોસ બટલર, સૈમ કરન, ટૉમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મૈટ પાર્કિંસન, આદિલ રાશિદ, જેસન રૉય, બેન સ્ટોક્સ, રીસ ટૉપ્લે, માર્ક વુડ
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
