For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ફાઈનલ મેચમાં મહત્વના બદલાવ સાથે ઉતરી શકે છે વિરાટ સેના

IND vs ENG: ફાઈનલ મેચમાં મહત્વના બદલાવ સાથે ઉતરી શકે છે વિરાટ સેના

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝને ત્રીજો અને આખરી મેચ આજે રમાશે, જે સિરીઝનો નિર્ણાયક મેચ બની ગયો છે અને સિરીઝના ફાઈનલની જેમ જ રમાશે. એવામાં બંને ટીમ આ મેચને જીતી સિરીઝ પોતાના નામે કરવા માંગશે. જીત હાંસલ કરવા માટે બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે. પુણેના મેદાન પર રમાયેલ બીજી મેચમાં ભારતીય બોલરની ભારે પિટાઈ થઈ.

ind vs eng

જેને પગલે ભારતીય ટીમ 337 રનના વિશાળ સ્કોરને બચાવી શકવામાં પણ નાકામ રહી હતી. એવામાં ભારતીય ટીમ પોતાના બોલિંગ વિભાગમાં બદલાવ કરવા ઉતરી શકે છે. ઈંગ્લેન્ડ સામે બીજા વનડે મેચમાં ભારતીય ટીમના સ્પિનિર્સ ખરાબ રીતે ફ્લૉપ સાબિત થયા હતા, એવામાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચમાં વિરાટ કોહલી પોતાના સ્પિન વિભાગમાં બદલાવ કરી શકે છે.

ભારતીય ટીમ ત્રીજી અને આખરી મેચમાં કુલદીપ યાદવને આરામ આપી યુઝવેન્દ્ર ચહલને મોકો આપી શકે છે જ્યારે કૃણાલ પંડ્યાને આરામ આપી ટી નટરાજનને મોકો આપવામાં આવી શકે છે. શાર્દુલઠાકુરે પહેલી મેચમાં સારી બોલિંગ કરી હતી પરંતુ આ દરમ્યાન તેમણે ઘણા રન પણ લુટાવવાનું કામ કર્યું હતું. એવામાં શાર્દુલ ઠાકુરને આરામ આપી મોહમ્મદ સિરાજને વનડે ક્રિકેટમાં ડેબ્યૂનો મોકો આપવામાં આવી શકે છે. જ્યારે બીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરનાર ઈંગ્લેન્ડની ટીમ કોઈપણ બદલાવ સાથે ઉતરતી જોવા મળશે.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND VS ENG: team management may change lineup for today's match, Probable playing xi of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X