IND vs ENG: પુણેથી મુંબઈ શિફ્ટ થઈ શકે છે ત્રીજી વનડે મેચ

IND vs ENG: પુણેથી મુંબઈ શિફ્ટ થઈ શકે છે ત્રીજી વનડે મેચ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પહેલી બે ટેસ્ટ મેચમાં બંને ટીમ 1-1 જીત નોંધાવી ચૂકી છે. આખરી બે ટેસ્ટ બાદ બંને ટીમ પાંચ મેચની ટી20 અને ત્રણ મેચની વનડે રમશે. વનડેનું આયોજન પુણેમાં કરાયું હતું, પરંતુ છેલ્લી વનડે પુણેથી બીજા શહેરમાં સ્થનાંતરિત કરવામા આવે તેવી સંભાવના છે. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘે કહ્યું કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં થનાર અંતિમ વનડેને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે.

ind vs eng

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ 12, 14, 16, 18 અને 20 માર્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આગલી ત્રણ વનડે મેચ 23, 26 અને 28 માર્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગહુંજે સ્ટેડિયમમાં રમાનાર હતી. જો કે, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સીરિઝની અંતિમ વનડે 28 માર્ચે મુંબઈમાં રમાડવામાં આવી શકે છે. એવું એટલા માટે કેમ કે ઈંગ્લેન્ડના ખેલાડીો માટે યૂકે જવું સુવિધાજનક થઈ શકે છે. હજી કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવાયો.

પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે બેવડી સદી ફટકારી પોતાની ટીમને 227 રને જીત અપાવી. સિરીઝનો ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરિા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં એક જ સમયે 1 લાખથી વધુ દર્શકો મેચનો રોમાંચ લઈ શકે છે. બંને ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે. સિરીઝ બાદ બંને ટીમ વચ્ચે 5 ટી20 મેચની સિરીઝ રમાશે. તમામ પાંચ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X