IND vs SL: દીપક ચહરે બનાવ્યા 4 મોટા રેકોર્ડ, અજીત અગરકરને પાછળ છોડ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે શ્રેણીની બીજી વનડે મેચ રમવામાં આવી હતી, જેમાં ભારતે 3 વિકેટથી જીત મેળવી શ્રેણીમાં 2-૦ની લીડ મેળવી લીધી હતી. દીપક ચહરે સર્વાંગી પ્રદર્શનથી ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ મેચમાં શ
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે શ્રેણીની બીજી વનડે મેચ રમવામાં આવી હતી, જેમાં ભારતે 3 વિકેટથી જીત મેળવી શ્રેણીમાં 2-૦ની લીડ મેળવી લીધી હતી. દીપક ચહરે સર્વાંગી પ્રદર્શનથી ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ મેચમાં શ્રીલંકાએ અવિશ્કા ફર્નાન્ડો અને ચરિથ અસલાન્કાની અડધી સદીના દાવ પર 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા અને ભારતને 276 રનના વિજય માટે પડકાર આપ્યો હતો. આ પડકારનો પીછો કરતા ભારતે 193 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ હોવા છતાં, દીપક ચહરે આઠમાં ક્રમે રમીને અણનમ અડધી સદી ફટકારીને 49.1 ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો.
દિપક ચહરે 82 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. તેમને ભુવનેશ્વર કુમારે સાથ આપ્યો હતો જેણે અણનમ 19 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર અને દિપક ચહરે આઠમી વિકેટ માટે અણનમ 84 રનની ભાગીદારી કરી હતી. દિપક ચહરે તેની અણનમ અડધી સદી સાથે 4 વિશેષ રેકોર્ડ બનાવ્યા છે. ચાલો એક નજર કરીએ-
શ્રીલંકા વિરૂદ્ધ આવુ કરનાર બીજો ખેલાડી
દીપક બીજો ભારતીય ક્રિકેટર છે જેણે શ્રીલંકામાં 8માં ક્રમે વનડેમાં અર્ધસદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ અગાઉ 2009 માં આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો. કોલંબોમાં રમતી વખતે તેણે અણનમ 60 રન બનાવ્યા હતા.
આ મામલે ભુવનેશ્વરથી આગળ નિકળ્યા
8 માં ક્રમાંકિત રન ચેઝમાં દીપક સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી હતો. તેમણે આ યાદીમાં ભુવનેશ્વર કુમારને પાછળ રાખ્યો છે. ભુવનેશ્વર કુમારે 2017 માં શ્રીલંકા સામે 8 નંબર પર બેટિંગ કરીને અણનમ 53 રનની ઇનિંગ રમી હતી. દીપક અને ભુવનેશ્વર કુમાર ત્યારબાદ હરભજન સિંઘ (41), સુરેશ રૈના (અણનમ 39) અને ઝહીર ખાન (અણનમ 34) છે.
અગરકરને પાછળ છોડ્યા
દીપક વનડેમાં આઠમાં ક્રમે સૌથી વધુ રન બનાવનાર ભારતનો બીજો ખેલાડી -છે. તેણે આ યાદીમાં અજિત અગરકરને પાછળ રાખ્યો છે. અગરકરે ઝિમ્બાબ્વે સામે 2000 વનડે શ્રેણીમાં અણનમ 67 રન બનાવ્યા હતા. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા સૌથી ઉપર છે. તેણે 2019 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં 77 રન બનાવ્યા હતા.
દિગ્ગજોની સુચીમાં સામેલ
ભારત માટે વનડેમાં અત્યાર સુધી આઠમાં બેટિંગ કરતા સાત ક્રિકેટરોએ ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ 8 માં ક્રમે ત્રણ અર્ધસદી ફટકારી છે. અજિત અગરકરે 2 અર્ધી સદી ફટકારી છે, જ્યારે સુનીલ જોશી, કપિલ દેવ, સબા કરીમ, ઇરફાન પઠાણ અને દીપક ચહરે 1-1 અર્ધી સદી ફટકારી છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો