Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2022: રવિન્દ્ર જાડેજા બન્યા CSKના નવા કેપ્ટન

રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે.

IPL 2022 : રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાડેજા, જે 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો છે, તે CSKનું નેતૃત્વ કરનાર માત્ર ત્રીજો ખેલાડી હશે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.

આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે એમએસ ધોની :

આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે એમએસ ધોની :

  • મેચ - 204
  • જીત - 121
  • હાર - 82
  • નો રેસ્ટ - 1
  • જીતની ટકાવારી - 59.60
  • 4 વખત IPL વિજેતા કેપ્ટન
  • 2 વખત CL T20 વિજેતા કેપ્ટન
આ ખેલાડી CSKનો નવો કેપ્ટન બન્યો

આ ખેલાડી CSKનો નવો કેપ્ટન બન્યો

મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ તેના ચાહકો માટે આંચકાથીઓછું નથી.

ધોનીની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ જાણકારીઆપી છે.

ધોની એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. ઉલ્લેખનીય છે કે, IPL 2022ની મેગા ઓક્શન પહેલા જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘોખેલાડી હતો. ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. જ્યારે ટીમે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

એક મહાન ઓલરાઉન્ડર છે જાડેજા

રવિન્દ્ર જાડેજા ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. જાડેજા બોલની સાથે સાથે બેટમાં પણ યોગદાન આપવામાં નિષ્ણાત ખેલાડી છે. છેલ્લી ઘણી સિઝનમાં, તે ચેન્નાઈ માટેસૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ કેપ્ટન ધોનીને વિકેટની જરૂર પડતી ત્યારે તે જાડેજાનો નંબર ફેરવતો હતો.

IPL 2021માં RCB સામેનીમેચમાં રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. તેના સ્પિનના જાદુથી કોઈ બચ્યું નથી. તે કોઈપણ પીચ પર વિકેટ લઈ શકે છે. તેની ચાર ઓવર રમવીકોઈપણ વિરોધી ટીમ માટે સરળ નથી.

જાડેજા CSKનો ત્રીજો કેપ્ટન હશે

જાડેજા CSKનો ત્રીજો કેપ્ટન હશે

રવીન્દ્ર જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે, 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યોહતો.

213 મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે, જેમાંથી ટીમ માત્ર 2મેચ જીતી શકી છે.

16 કરોડમાં રિટેન કરાયો હતો જાડેજા

16 કરોડમાં રિટેન કરાયો હતો જાડેજા

આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂપિયા 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આસિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો.

આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકેછે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X