IPL 2023: મને સમજાતુ નથી કે ભારતીય ટીમમાં કેમ નથી સંજુ સેમસન?, આ દિગ્ગજ ખેલાડીએ કર્યા સવાલ
IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ વખત ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ગયા વર્ષે આઇપીએલમાં પ્રવેશી હતી. ગત સિઝનમાં ફાઈનલ સહિત રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી. આ તમામ મેચો ગુજરાતે જીતી હતી.
ગુજરાત ટાઇટન્સ સામે સંજુ સેમસનના બેટથી ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેણે 32 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ટીમ જીતી હતી.

સંજુ સેમસનને ભાગ્યે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મળે છે. અનુભવીઓ અને ચાહકો સેમસન સાથે થઈ રહેલા અન્યાય અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. તેના શાનદાર પ્રદર્શન છતાં સેમસનને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.
હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે સંજુ સેમસન વિશે વાત કરી છે. ભજ્જીએ કહ્યું કે સંજુ સેમસને કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. મને સમજાતું નથી કે આ ખેલાડી ભારતીય ટીમમાં કેમ નથી?
હરભજન સિંહના મતે ભારતીય ક્રિકેટ બોર્ડ સેમસન સાથે કડક વલણ અપનાવે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે તેની સાથે થોડો અન્યાય થયો છે. પરંતુ આ ઇનિંગ બાદ હવે તેને તક મળશે. તેણે રાશિદ ખાનને ત્રણ સિક્સ ફટકારી હતી. સંજુનું સ્કીલ લેવલ અલગ લેવલ પર છે.
રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ જીત નોંધાવી છે. આ સાથે રાજસ્થાને ગત સિઝનની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. રાજસ્થાનને છેલ્લી ત્રણ ઓવરમાં 36 રનની જરૂર હતી. શિમરોન હેટમાયરની તોફાની બેટિંગે ટીમને જીત અપાવી હતી.












Click it and Unblock the Notifications
