Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2025 Retention Rules : શું છે નવા આઈપીએલ રિટેન્શન નિયમ? જાણો એક ફ્રેન્ચાઈઝી કેટલા રૂપિયા ખર્ચ કરી શકશે?

IPL 2024 Retention Rules : આઈપીએલ 2025 માટે 31 ઓક્ટોબરે રિટેન્શન ટાઈમ પુરો થઈ રહ્યો છે. બીસીસીઆઈ 31 ઓક્ટોબરે રિટેન્શન ખેલાડીઓની યાદી જાહેર કરશે.

રિટેન્શન ખેલાડીઓ માટે આ વખતે નિયમોમાં ઘણા ફેરફાર કરાયા છે. આ લિસ્ટ સાથે રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરાશે.

IPL 2025 Retention Rules

આ વખતે ઘણા મોટા ખેલાડીઓમાંથી કયા નામો યથાવત રહેશે તેના પર તમામની નજર છે. ફ્રેન્ચાઈઝીઓએ નિયમો અને પર્સનું પણ ધ્યાન રાખવું પડશે. હરાજી પહેલા ઉપયોગમાં લેવાતી રકમનો હિસાબ પણ આપવો પડશે. ઘણા ખેલાડીઓ પોતાની જૂની ટીમો છોડી શકે છે.

હાલમાં આરટીએમનો ઉપયોગ રીટેન્શનમાં કરવામાં નહીં આવે. આનો ઉપયોગ હરાજી સમયે કરી શકાશે. ઉદાહરણ તરીકે, જો કેએલ રાહુલ આ સિઝનમાં લખનૌ દ્વારા રિલીઝ થાય અને તે હરાજીમાં જાય છે. હવે જો અન્ય ટીમો તેના માટે બોલી લગાવે છે તો લખનૌ આરટીએમનો ઉપયોગ કરીને રાહુલને પરત બોલાવી શકે છે.

રિટેન્શન પ્રાઈઝ
હરાજી માટે દરેક ટીમ પાસે 120 કરોડ રૂપિયાનું ફંડ હશે. રિટેન્શન માટે 75 કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરાઈ છે.

પ્રથમ રીટેન્શન: 18 કરોડ

બીજી રીટેન્શન: 14 કરોડ

ત્રીજું રીટેન્શન: 11 કરોડ

ચોથું રીટેન્શન: 18 કરોડ

પાંચમી રીટેન્શન: 14 કરોડ

અનકેપ્ડ પ્લેયર રૂલ્સ
જો કોઈ ભારતીય સિઝન શરૂ થાય ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી તો તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ નિયમ વર્ષ 2021 માં બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે ભારતના ખેલાડીઓ માટે પરત લાવવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X