IPL: કેમ RCBનુ ટાઇટલ જીતવાનુ સપનુ વારંવાર તુટે છે? ક્યા થઇ રહી છે ભુલ?
ગુજરાત સામે RCBની છ વિકેટની હારથી તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. આરસીબી માટે આ સિઝનમાં વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે બેટ વડે ઘણા રન બનાવ્યા હતા. બંનેએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. પરંતુ બાકીની ટીમ સાથે ન મળવાને કારણે RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
વર્ષ 2008થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની ફેવરિટ ટીમોમાંથી એક છે. વિરાટ કોહલીના કારણે પાછળના વર્ષોમાં ટીમના ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો હતો. ચાહકોને આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસેથી ટ્રોફીની અપેક્ષા હતી. પરંતુ ફરી એકવાર ટીમના ખેલાડીઓનું ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું છે.

આરસીબીનું મેનેજમેન્ટ અત્યાર સુધી સંતુલિત ટીમ બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ જ કારણ છે કે ટીમ હજુ સુધી ફરી એકવાર IPL ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. હરાજી દરમિયાન, ટીમ મેનેજમેન્ટ ઘણીવાર સ્ટાર ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચ કરે છે. પરંતુ સંતુલિત પ્લેઈંગ ઈલેવનને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવતી નથી.
આરસીબીના ઈતિહાસમાં એવો કોઈ બોલર યાદ નથી કે જેણે તેની રમતથી પ્રભાવિત કર્યું હોય. છેલ્લા કેટલાક સિઝનથી મોહમ્મદ સિરાજ ચોક્કસપણે ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ બાકીના બોલરોનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. આરસીબીએ યુઝવેન્દ્ર ચહલ અને દેવદત્ત પડિકલ જેવા ખેલાડીઓને છોડી દીધા હતા.
RCBની બીજી સૌથી મોટી ખામી ખેલાડીઓમાં અવિશ્વાસ છે. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સને છોડીને કોઈ ખેલાડી લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા નથી. શિવમ દુબે, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને છોડવાને ટીમની સૌથી મોટી ભૂલ ગણી શકાય.
આરસીબી માટે આ સિઝનમાં સૌથી મોટી સમસ્યા આઉટ ઓફ ફોર્મ મિડલ ઓર્ડર બેટ્સમેનો હતી. આરસીબીની ટીમ બેટિંગમાં વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ પર સંપૂર્ણપણે નિર્ભર લાગી રહી હતી. આ જ કારણ છે કે સારી શરૂઆત બાદ પણ ટીમ ઇનિંગ્સને યોગ્ય રીતે પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
