વિરાટ કોહલીને નાથન લાયન સામે તોફાની બેટિંગ કરવી પડશે, ઇફાન પઠાણની સલાહ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીજની પહેલી મેચ નાગપુરમાં રમાશે, ટીમ ઇંડિાય માટે ઘણી મહત્વની સીરીજ છે.
ભારતીય ટીમ ઘરેલુ મેદાનો પર ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની સીરીજ રમનાર છે. સીરીજનો પહેલો મુકાબલો 9 ફેબ્રુઆરીથી નાગપુરથી શરુ થશે. ટીમ ઇન્ડિયા નાગપુર પહોચી ચૂકી છે. ઓસ્ટરેલિયા પાસે નાથન લાયન સૌથી સારો સ્પિન બોલર છે. અને ભારતીય બેટ્સમેનને હેરાન કરવાની ક્ષમતા ધરાવે છે. વિરાટ કોહલી ઉપર ભારતીય ટીમની બેટિંગ ટકી છે. તેમને ભારતના પૂર્વ બોલર ઇરફાન ફઠાણે તેને એક સલાહ આપી છે . પાઠાણે કોહલીને નથન લાયના સામે અપનાવામાં આવનાર અપ્રોચ વિશે જણાવ્યુ છે. ઇરફાને અનુસાર આક્રમક બેટિંગ દ્વારા ઓસ્ટ્રેલિયાના સ્પિનરને કાઉન્ટર કરી શકાય છે.
કોહલીને વધારે આક્રમક બનવુ પડશે.
સ્ટાર સ્પોર્ટ્સના શોમાં વાતચીત કરતા ઇરફાન પઠાણે હોલીને કહ્યુ કે, તેમના દિમાગમાં નાથન લાયન અને એશ્ટન એગરની સ્પિન બોલિંગને નિશાન બનાવવાની યોજના હશે. પાછલા થોડા સમયથી તે સ્પિન સામે સંઘર્ષ કરતા જોઇ શકાય છે. મારા મતે વિરાટ કોહલીએ થોડુ વાધે આક્રમક થવુ પડશે. કેમ કે, સ્પિનર સામે સ્ટ્રાઇક રેટ પણ ઓછી થઇ જાય છે.
નાથન લાયન વિરુદ્ધ આક્રમણ જરૂરી
પઠાણે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, હુ જાણુ છુ કે, ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ છીએ પરંતુ ક્યારેક ક્યારેક સ્પિન વિરુદ્ધ થોડુ વાધારે આક્ર્મક બનવુ પડશે. કેમ કે, એક વારતમે નાથન લાયન જેવા બોલરનો સામન કરો તો આક્રમક બનવુ સારુ રહે છે. લાયનની બોલરને ટર્ન મળે છે અને ઉછાળ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે, બોલ પકડ્યા બાદ સ્પિન થઇને નીકળે છે.
પહેલા બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ
રોહીત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપ કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયાંસ અય્યર, કેએલ ભરત (વિકેટકિપર),ઇશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનદકટ, સુર્યકુમાર યાદવ,
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો