PCBના આમંત્રણ છતા પાકિસ્તાન નથી જઇ રહ્યાં જય શાહ? BCCIએ દાવો ફગાવ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે બુધવારે એવા અહેવાલોને રદિયો આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI સેક્રેટરી એશિયા કપ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરશે કારણ કે તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું આમંત્રણ સ્વીકાર્યું છે.
તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે, PCBની વચગાળાની પ્રબંધન સમિતિના અધ્યક્ષ ઝકા અશરફ અને BCCI સચિવ જય શાહ ICCની બેઠક દરમિયાન દક્ષિણ આફ્રિકાના ડરબનમાં મળ્યા હતા.

આ બેઠકમાં બંને દેશોએ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સહિત તેમના પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ પાકિસ્તાનના આંતર-પ્રાંતીય સંકલન મંત્રી એહસાનુર રહેમાન મજારીએ ધ ડોનને જણાવ્યું કે એશિયા કપ પહેલા જય શાહે અશરફનું આમંત્રણ સ્વીકાર્યું છે.
ઝકા અશરફે શાહને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા જોવા માટે પાકિસ્તાન બોલાવ્યા જેથી તેઓ ખાતરી કરી શકે કે પાકિસ્તાનમાં સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી છે.
કહેવામાં આવ્યું કે જય શાહ આ માટે સંમત થયા અને પીસીબી ચીફને 2023 વર્લ્ડ કપ પહેલા ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. આ સમાચારો ફેલાયા બાદ જય શાહે ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું કે, મેં આવું કંઈ કહ્યું નથી. કાં તો આ બધી બાબતો જાણીજોઈને ફેલાવવામાં આવી રહી છે અથવા તો તે સંપૂર્ણ ગેરસમજ છે.
બીસીસીઆઈના અન્ય અધિકારી અરુણ ધૂમલ આઈસીસીની બેઠકમાં હાજર હતા. તેમણે એમ પણ કહ્યું કે, 'ન તો ભારત પાકિસ્તાન જશે અને ન તો અમારા સચિવ ત્યાં જશે. ધૂમલે કહ્યું કે જય શાહ અને અશરફ વચ્ચે એશિયા કપના શેડ્યૂલને અંતિમ રૂપ આપવા માટે જ બેઠક થઈ હતી.
એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પાકિસ્તાન અને શ્રીલંકા સહ-યજમાન તરીકે હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. ધૂમલે વધુમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાન એશિયા કપના લીગ તબક્કાની ચાર મેચ રમશે. આ પછી શ્રીલંકામાં નવ મેચ રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે અને જો બંને ટીમો ફાઇનલમાં જશે તો તે મેચ શ્રીલંકામાં પણ રમાશે."












Click it and Unblock the Notifications
