KKR vs PSBK : પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, આ ખેલાડીઓ પર નજર રહેશે
પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પંજાબ કિંગ્સ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત માટે મેદાને ઉતરશે. પંજાબ કિંગ્સને છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

પંજાબ અને કોલકાતા વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે. આમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હાથ ઉપર રહ્યો છે.
કોલકાતાએ 32માંથી 21 મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સ માત્ર 11 મેચ જીતી શકી છે. ગયા વર્ષે 2023માં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખૂબ જ રોમાંચક જીત હાંસલ કરી હતી.
પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ આ સિઝનમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. શશાંક સિંહ અને આશુતોષ શર્મા જેવા નવા ખેલાડીઓએ પંજાબ કિંગ્સ માટે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
જો કે મોટા નામના ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
સુનીલ નારાયણે આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર બેટિંગ કરી છે. પોતાની બોલિંગથી તબાહી મચાવનાર સુનીલ નારાયણે પણ બેટથી ધૂમ મચાવી છે.
કોલકાતા તરફથી ઓપનિંગ કરતી વખતે સુનીલ નારાયણે આ વર્ષે સદી પણ ફટકારી છે. આ મેચમાં સુનીલ નારાયણ મોટી ભૂમિકા ભજવી શકે છે.












Click it and Unblock the Notifications
