ટેસ્ટ કેપ્ટન બનનારા કર્ણાટકના ચોથા ખેલાડી બન્યા કેએલ રાહુલ, જાણો બીજા કોણ હતા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ જોહાનિસબર્ગમાં શરૂ થઈ હતી, જ્યાં વિરાટ કોહલીની ઈજાને કારણે કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની ઈજાના
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ જોહાનિસબર્ગમાં શરૂ થઈ હતી, જ્યાં વિરાટ કોહલીની ઈજાને કારણે કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની ઈજાના કારણે લોકેશ રાહુલને દક્ષિણ આફ્રિકામાં ત્રણ મેચની વનડે શ્રેણીનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. હવે રાહુલ પાસે ટેસ્ટમાં પણ પોતાની કેપ્ટનશિપ દેખાડવાની તક છે. કેએલ રાહુલ ભારતનો 34મો ટેસ્ટ કેપ્ટન છે જ્યારે કર્ણાટકનો ચોથો ટેસ્ટ કેપ્ટન બન્યો છે.

રાહુલ પહેલા કર્ણાટકના ક્રિકેટર ગુંડપ્પા વિશ્વનાથ, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ગુંડપ્પા વિશ્વનાથે બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. રાહુલ દ્રવિડે 25 ટેસ્ટમાં અને અનિલ કુંબલેએ 14 ટેસ્ટમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે.
કર્ણાટકના ખેલાડીઓ જેમણે ભારતીય ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ કરી -
- 2 મેચ - ગુંડપ્પા વિશ્વનાથ (1980)
- 25 મેચ - રાહુલ દ્રવિડ (2003-2007)
- 14 મેચ - અનિલ કુંબલે (2007-2008)
વિરાટની અનુપલબ્ધતા વિશે માહિતી આપતા કેએલ રાહુલે કહ્યું કે, "દુર્ભાગ્યવશ, વિરાટની પીઠના ઉપરના ભાગમાં ઈજા છે. ફિઝિયો તેના પર કામ કરી રહ્યા છે અને આશા છે કે તે આગામી ટેસ્ટ સુધીમાં ઠીક થઈ જશે. વિરાટની જગ્યાએ હનુમા વિહારી રમશે. આ એકમાત્ર બદલાવ છે." તેને જે જવાબદારી સોંપવામાં આવી છે તેના વિશે વાત કરતા રાહુલે કહ્યું, "ટીમનું સુકાન સંભાળવું એ દરેક ભારતીય ખેલાડીનું સ્વપ્ન છે. તે ખરેખર એક સન્માનની વાત છે અને હું આ પડકારની રાહ જોઈ રહ્યો છું." અહીં કેટલીક મોટી જીત મેળવી હતી અને આશા છે કે અમે આમ કરવાનું ચાલુ રાખીશું. એકંદરે, અમે સેન્ચુરિયનમાં સારું રમ્યા. અમે એક ટીમ તરીકે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે."
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
