Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL ઓક્શનમાં આ ખેલાડીને નથી ખરીદી શક્તિ કોઇ પણ ટીમ, ગંભીરના નિવેદનનો ખેલાડીએ તોડી ચુપ્પી

આ વર્ષે યોજાનારી આઈપીએલ મીની હરાજીમાં ઘણા ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક ખેલાડીઓ હરાજી દરમિયાન અનસોલ્ડ રહ્યા હતા.

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની ગણતરી સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા દાસુન શનાકાએ બેટથી ટીમ માટે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે તેની T20 કારકિર્દીની સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. ભારત સામે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ખાસ કરીને ભારતીય પીચો પર તેના બેટમાંથી રન નીકળે છે.

આઇપીએલમાં ના મળ્યો કોઇ ખરીદદાર

આઇપીએલમાં ના મળ્યો કોઇ ખરીદદાર

દુનિયાભરના ક્રિકેટરોનું સપનું છે કે તેઓ ભારતમાં આવે અને IPL રમે. IPLએ ઘણા નવા ક્રિકેટરોને ઓળખ આપી છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમને હજુ સુધી IPLમાં ભાગ લેવાની તક મળી નથી. દાસુન શનાકાનું નામ પણ એવા ક્રિકેટરોમાં છે જેઓ અત્યાર સુધી IPLમાં રમી શક્યા નથી. દાસુન શનાકા વિશે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે તેને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી પાસે પૈસા ખતમ થઈ ગયા હશે.

શનાકાને નથી ખરીદી શકી કોઇ પણ ટીમ

શનાકાને નથી ખરીદી શકી કોઇ પણ ટીમ

વાસ્તવમાં, પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં શંકાએ 22 બોલમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ટી20 મેચમાં 250થી વધુની સ્ટ્રાઈક રેટથી 50થી વધુ રન બનાવનાર ભારત સામે તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. શનાકાની આ ઈનિંગ પછી આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરે શનાકા વિશે કહ્યું કે ટીમો પાસે તેને ખરીદવા માટે પૈસા નથી. ગંભીરે કહ્યું કે જો દાસુન શનાકાનું પ્રદર્શન હરાજી પહેલા આવી ગયું હોત તો કોઈ પણ ફ્રેન્ચાઈઝી પાસે તેને ખરીદવા માટે પૈસા ન હોત.

ગંભીરના નિવેદન બાદ ખેલાડીએ તોડી ચુપ્પી

ગંભીરના નિવેદન બાદ ખેલાડીએ તોડી ચુપ્પી

આઈપીએલની હરાજીમાં માત્ર 50 લાખની બેઝ પ્રાઈસમાં પણ વેચાયા વિના, શંકાએ હવે પોતાના દિલની વાત કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં, શનાકાએ આખરે હરાજીમાં વેચાણ ન થવા પર પોતાનું મૌન તોડ્યું. તેણે કહ્યું કે ભારતીય પીચો બેટિંગ માટે મદદરૂપ છે, તેથી તેને અહીં રમવાની મજા આવે છે. તે કંઈ અલગ કરવાનો પ્રયાસ કરતો નથી, માત્ર તેની કુદરતી રમત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભવિષ્યમાં આઇપીએલ રમવાની આશા

ભવિષ્યમાં આઇપીએલ રમવાની આશા

શનાકાએ કહ્યું કે જ્યારે ભારતની વાત આવે છે ત્યારે પિચો બેટિંગ ફ્રેન્ડલી હોય છે. તેથી હું તે પરિસ્થિતિઓને ખૂબ જ માણું છું. આઈપીએલમાં ન વેચાયાનો મને અફસોસ નથી. મને ખાતરી છે કે ભવિષ્યમાં ભારતમાં મારી સાથે કંઈક સારું થશે. હું આઈપીએલમાં રમવાની તકની રાહ જોઈ રહ્યો છું. શનાકાએ ભારત-શ્રીલંકા શ્રેણીમાં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X