Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'આવી વિચારસરણીથી કોઈ ટીમ જીતી શકે નહીં', હાર બાદ કોહલીના નિવેદનથી પૂર્વ કેપ્ટન કપિલ દેવ નિરાશ

UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ચાહકો માટે નિરાશાજનક દિવસ હતો, જ્યાં વિરાટ સેના ન્યૂઝીલેન્ડના હાથે 8 મેચ હાર્યા બાદ ખિતાબની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

નવી દિલ્હી : UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ચાહકો માટે નિરાશાજનક દિવસ હતો, જ્યાં વિરાટ સેના ન્યૂઝીલેન્ડના હાથે 8 મેચ હાર્યા બાદ ખિતાબની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર ટોસમાં હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. બેટિંગમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ફરી એકવાર ફ્લોપ થયો હતો અને 48 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 110 રન જ ઉમેરી શકી હતી.

Kapil Dev

આ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ 54 બોલ (9 ઓવર)માં કોઈ રન બનાવ્યા ન હતા, જે તેના પર ભારે પડ્યા હતા. રન ચેજ કરતી વખતે કિવી ટીમે આ લક્ષ્યાંક 14.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતીય ટીમ પાસે હજૂ 3 મેચ બાકી છે, પરંતુ તે તમામ જીતવા છતાં સેમિફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય છે. કરો યા મરોની આ મેચમાં હાર બાદ જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાના ખેલાડીઓના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, અમે બહાદુરીથી રમી શક્યા નથી, જેના કારણે હારનો ભોગ બનવું પડ્યું હતું.

આવી માનસિકતા સાથે ટીમ ક્યારેય જીતી શકતી નથી

આવી માનસિકતા સાથે ટીમ ક્યારેય જીતી શકતી નથી

જો કે, વિરાટ કોહલીનું આ નિવેદન પૂર્વ ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવને પસંદ નથી આવ્યું અને તેમણે આ અંગે પોતાની નિરાશા પણ વ્યક્ત કરી છે.

હાર બાદ કોહલીએ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, તે ખૂબ જ ખરાબ હતું, સાચું કહું તો અમે બેટ અને બોલ બંને દ્વારા સારૂ પ્રદર્શન કરી ન શક્યા હતા.

કપિલ દેવેપોતાના નિવેદન પર કહ્યું કે, મને લાગે છે કે આ છેલ્લી વાત છે જે તમને કેપ્ટન તરીકે કહેવું કે અનુભવવું જોઈએ.

કપિલ દેવે જણાવ્યું હતું કે, 'તેના જેવા મોટા ખેલાડીનું આ ખૂબ જ નબળું નિવેદન છે. જો આ પ્રકારની બોડી લેંગ્વેજ ધરાવતી ટીમ હોય અને આ પ્રકારની વિચારસરણીધરાવતો કેપ્ટન હોય તો કોઈ પણ ટીમ માટે ઉભા રહેવું અશક્ય છે. એ શબ્દ સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું હતું. તે આવા પ્રકારનો ખેલાડી નથી.

કોહલી પર સવાલો થવા યોગ્ય

કોહલી પર સવાલો થવા યોગ્ય

કપિલ દેવે ભારતીય ટીમની બોડી લેંગ્વેજ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ટોસ જીત્યા બાદ આખી ટીમ એવું લાગી રહ્યું હતું કે, તેમણે જીતવાનો વિચાર જ છોડી દીધો છે.

મેચ બાદ વિરાટ કોહલીએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે, તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.

તેમણે કહ્યું, 'તે એક ફાઇટર છે, મને લાગે છે કે તે એવા સમયે હારી ગયો હતો અથવા હારની અસર હતી.

કેપ્ટને ક્યારેય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ કે અમેબહાદુરીથી રમ્યા નથી. તમે દેશ માટે રમી રહ્યા છો અને તેમનામાં જુસ્સો છે, પરંતુ જ્યારે તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો, ત્યારે તમારા પર સવાલો ઉઠવા યોગ્યછે.

જેટલી ટીકા કરો એટલી એછી

જેટલી ટીકા કરો એટલી એછી

મહત્વની વાત છે કે, ન્યૂઝીલેન્ડ સામેની આ હારને કારણે ભારતીય ટીમના નેટ રન રેટને પણ ઘણું નુકસાન થયું છે અને તેનું સેમિફાઈનલમાં પહોંચવું અશક્ય છે.

હારબાદ કપિલ દેવનું માનવું છે કે ભારતીય ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તે જોતા તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે.

કપિલ દેવે જણાવ્યું હતું કે, 'મારી પાસે શબ્દો નથી, આપણે કોઈની આટલી ટીકા કેવી રીતે કરી શકીએ. જો કોઈ ટીમ જે હાલમાં IPLમાંથી આવી રહી છે, તે પીચ પરપ્રેક્ટિસ કરવા છતાં આવું પ્રદર્શન કરે છે, તો તેની ટીકા થશે.

જ્યારે તમે જીતો છો, ત્યારે તમારા ભાગ્યે જ વખાણ થાય છે, ભારત જે પ્રકારનું ક્રિકેટ રમે છે, તેની જેટલીટીકા કરવામાં આવે છે તેટલી ઓછી થાય છે. તમે લડો છો અને તમે હારો છો, તે સમજી શકાય છે, પરંતુ આજની મેચમાં કોઈ ખેલાડીનું એવું પ્રદર્શન નહોતું જેનાથીઆપણે ખુશ થઈ શકીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X