સચિન તેંડુલકરે જણાવ્યુ ભારતની હારનુ કારણ, કહ્યું- અર્શદીપનો કેચ નહી, એ હતો મેચનો ટર્નિંગ પોઇન્ટ
એશિયા કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 1 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું હતું. 18મી ઓવરના ત્રીજા બોલ પર આસિફ અલીન
એશિયા કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 1 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું હતું. 18મી ઓવરના ત્રીજા બોલ પર આસિફ અલીનો સરળ કેચ છોડનાર અર્શદીપ સિંહ ભારતની હાર માટે દોષી સાબિત થયો હતો. જોકે, સચિન તેંડુલકર એવું માનતા નથી.

માસ્ટર બ્લાસ્ટરે બતાવ્યો ટર્નિંગ પોઈન્ટ
ભારતીય ટીમની હાર બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને મેચના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ વિશે જણાવ્યું હતું. તેંડુલકરે ટ્વીટ કર્યું, "ભારત વિ PAK મેચો હંમેશા રોલરકોસ્ટર રાઈડ હોય છે. વિરાટ કોહલીની સારી ઇનિંગ્સની મદદથી ભારતે સ્પર્ધાત્મક ટોટલ બનાવ્યું હતું, પરંતુ મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝની ભાગીદારી મારા માટે ગેમ ચેન્જર હતી. એકંદરે એક સારી સ્પર્ધા!"

આ જોડીએ મેચ પલટી
પાકિસ્તાને 63ના સ્કોર પર પોતાની પ્રથમ બે વિકેટ ગુમાવી દીધી હતી. ખુશદિલ શાહ ચોથા નંબરે આવવાની આશા હતી, પરંતુ પાકિસ્તાને મોહમ્મદ નવાઝને બેટિંગ માટે મોકલ્યો. નવાઝે મેદાન પર આવતાની સાથે જ આક્રમક અભિગમ અપનાવ્યો અને 20 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા. તેણે ત્રીજી વિકેટ માટે મોહમ્મદ રિઝવાન સાથે 41 બોલમાં 63 રન જોડ્યા અને તેણે મેચનું ચિત્ર બદલી નાખ્યું.
|
નવાઝ બાદ રિઝવાને પોતાની તાકાત દેખાડી
આ ભાગીદારી પર બ્રેક ભુવનેશ્વર કુમારે નવાઝને આઉટ કરીને નાખ્યો હતો. તે પછી મોહં. રિઝવાને ઝડપથી રન બનાવવાની આગેવાની લીધી અને તેની T20I કારકિર્દીની 15મી અડધી સદી પૂરી કરી. તે 41 બોલમાં 71 રન બનાવીને હાર્દિક પંડ્યાના હાથે આઉટ થયો હતો. આસિફ અલીએ 8 બોલમાં 16 અને ખુશદિલે 11 બોલમાં અણનમ 14 રન ફટકારીને પાકિસ્તાનનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.

8 વર્ષ પછી ભારત હાર્યું
તમને જણાવી દઈએ કે એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે 8 વર્ષ બાદ મેચ જીતી છે. રવિવારે જીત પહેલા પાકિસ્તાને આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી વાર 2014માં હરાવ્યું હતું. ત્યારપછી પાકિસ્તાને મિસ્બાહ-ઉલ-હકની કેપ્ટન્સીમાં છેલ્લી ઓવરમાં ભારતને 1 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે એશિયા કપ 50 ઓવરની ટુર્નામેન્ટમાં રમાતી હતી અને ભારતનું નેતૃત્વ એમએસ ધોની કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
