પૃથ્વી શૉએ ભરવુ પડશે મોટુ પગલુ, કરિયર બચાવવા અર્જુન તેંડુલકરનો આઈડિયા અપનાવવો પડશે
પૃથ્વી શૉ જ્યારે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ રમવા આવ્યો ત્યારે તેણે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારે બધાને લાગ્યું કે ભારતને ભવિષ્યનો સ્ટાર ખેલાડી મળી ગયો છે. સમય પસાર થયો અને તે ખેલાડી પર કોઈનું ધ્યાન ગયું.
પહેલા તો IPLમાં પૃથ્વી શૉને કોઈએ ખરીદ્યો ન હતો, હવે ઘરેલુ ક્રિકેટમાં પણ તેના માટે દરવાજા બંધ થઈ ગયા છે. પૃથ્વી શૉને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ભવિષ્યમાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા નથી. યુવા શૉમાં હજુ પણ ઘણું ક્રિકેટ છે.
શૉ જેણે શુભમન ગીલ સાથે મળીને અંડર-19 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી, તેણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. અર્જુન તેંડુલકરે પોતાના ઘરેલુ ક્રિકેટને આગળ લઈ જવા માટે એક કામ કર્યું. તે મુંબઈની ટીમ છોડીને ગોવામાં રમવા ગયો હતો.

પોતાના પર ધ્યાન કેન્દ્રીત કરે શૉ
અર્જુન તેંડુલકરની જેમ કામ કરવું પડશે. પૃથ્વી શૉને પણ અન્ય ટીમ તરફથી રમવાની તક છે પરંતુ તેણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સૌથી મોટી વાત છે ફિટનેસ અને ડિસિપ્લિનમાં ટીમમાં રહીને તેણે નિયમોનું પાલન કરવું પડશે.
મુંબઈ છોડીને અન્ય ટીમમાં રમે પૃથ્વી શૉ
સૌથી અગત્યની બહારની પ્રવૃતિઓ છોડીને ફરીથી શિસ્તમાં આવવું પડશે. જો તેને મુંબઈમાં લેવામાં નહીં આવે તો તે અન્ય રાજ્યની ટીમમાં જઈને રમી શકે છે. આ પહેલા પણ બન્યું છે જ્યારે કોઈ ખેલાડી પોતાની ટીમ છોડીને બીજા રાજ્યમાં રમવા જાય છે.
પૃથ્વી શૉ પ્રતિભાશાળી ખેલાડી
25 વર્ષના પૃથ્વી શૉને પોતાની કારકિર્દી બચાવવા માટે કંઈક કરવું પડશે. તેની પાસે ઘણી પ્રતિભા છે અને આ વાત કોઈનાથી છુપાયેલી નથી. આવી સ્થિતિમાં તેણે પોતાની ક્ષમતાઓને આગળ લાવવી પડશે અને તે બધી ખરાબ બાબતોને પાછળ છોડી દેવી પડશે જેના કારણે તેને આજે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમવાનું નથી મળી રહ્યું.












Click it and Unblock the Notifications
