પુલવામા હુમલોઃ વિશ્વકપમાં પાક સામે ભારત નહિ રમે તો આવી શકે છે આ પરિણામ
બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ.
પુલવામાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને અલગ પાડવાની મુહિમ કરી રહ્યુ છે. આ વર્ષે યોજાનારા વિશ્વ કપ માટે બીસીસીઆઈના સૂત્રોએ મોટી વાત કહી છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ. બીસીસીઆઈના સૂત્રએ આ વિશે કહ્યુ છે કે અમુક સમય બાદ આ વિશે સ્થિતિ સ્પષ્ટ થશે જ્યારે વિશ્વકપની નજીક પહોંચીશુ.

બીસીસીઆઈના સૂત્ર અનુસાર આઈસીસીને આની સાથે કોઈ લેવાદેવા નથી. જો સરકારને કોઈ પણ સમયે એવુ લાગે કે આપણે પાકિસ્તાન સાથે ન રમવુ જોઈએ તો બેશક પાકિસ્તાન સામે નહિ રમીએ. જો કે બીસીસીઆઈએ એ પણ કહ્યુ છે કે જો ભારત પાકિસ્તાન સામે નહિ રમે તો પાકિસ્તાનને આ મેચના પોઈન્ટ મળી જશે અને તે મેચ રમ્યા વગર જ વિશ્વકપ જીતી શકે છે. અમે આ અંગે હજુ સુધી આઈસીસીનો સંપર્ક કર્યો નથી.
તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ સતત એ અંગે માંગ ઉઠી રહી છે કે ભારતે પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર હરભજન સિંહે પણ આ અંગે માંગ કરી હતી કે ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ. હરભજન સિંહે કહ્યુ કે આ આપણા માટે મુશ્કેલીનો સમય છે. આપણે આપણા સુરક્ષાબળો પર થયેલા હુમલાથી દુઃખી છીએ, આ અવિશ્વસનીય હતુ. આપણે આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ હોવા જોઈએ. જો આપણે તેની સાથે રમતા રહીશુ તો આપણી સાથે આ જ રીતનો વ્યવહાર કરશે.
-
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું












Click it and Unblock the Notifications
