રોહિત અને વિરાટ ફરી ના મળી ટી20 ટીમમાં જગ્યા, BCCI ના ટોચના અધિકારીઓએ કહ્યુ કે, તે પરમાનેન્ટ બહાર રહેશે
ભારતની ટી20 ટીમામાં બે સીનિયર ખેલાડીને જગ્યા ના મળી બીસીસીઆઇ સીનિયર ખેલાડીને કાયમ માટે ટી20 મેચમાથી બહાર રાખવામાં માગતી હોવાના સંકેત મળી રહ્યા છે.
ન્યુઝિલન્ડ સામેની ત્રણ મેચની ટી20 મેચનની સીરીજ માટે શુક્રવારે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં રોહીત શર્મા અને વિરાટ કોહલીને ફરી એકવા જગ્યા નથી આપવામાં આવી રોહીત અને વિરાટ ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 માથી બહાર છે. જો કે, પસંદગીકારો તરફથી તેમને આરામ આપવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ અટકળો એવી પણ લગવામાં આવી રહી છે કે, બંને સીનિયર્સને કાયમ માટે ટી20 ટીમમાં બહાર કરી દેવામાં આવ્યા છે. ઇન્સાઇડસ્પોર્ટની એક ખબર અનુસાર બીસીસીઆઇના એક ટોચના અધિકારીઓ આ વાતને કન્ફર્મ કરી છે વિરાટ કોહલી અને રોહિત હવે પરમાનેન્ટ ટી20 ટીમથી બહાર રહેશે.
બીસીસીઆઇના અધિકારીએ કહ્યુ કે, રોહિત અને વિરાટ કોહલીને ટી20 ટીમમાથી બહાર થવુ સ્થાયી છે . પરંતુ ભવિષ્યમાં કંઇ પણ થઇ શકે છે. આપણે બસ આગળ વધાની જરૂર છે. અને તેનો અર્થ એ છે કે, 2024 માં ટી 20 વર્લ્ડ કપ માટે અત્યારથી તૈયારી કરવામાં આવશે. ટી20 વિશ્વ કપ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવે. અને તે યોજનાઓમ ટીમની પસંદગી કરવામાં આવશે. અમે કોઇ પણ ખેલાડીના ભવિષ્યનો નિર્ણય નથી કરી શક્તા. રોહિત અને વિરાટ પોતાના ભવિષ્યને લઇને બોલવા માટે આઝાદ છે.
બીસીસીઆઇના ટોચના અધિકાારીનું આ નિવેદન રોહિત શર્માના તે નિવેદનનથી બિલકુલ સમાન થી., જેમા રોહિત શર્માએ કહ્યુ હતુ કે, તે હજી ટી20 ક્રિકેટને છઓડવને લઇને નથી વચારી રહ્યા. રોહિત શર્માએ નિવેદન આપ્યુ હતુ કે, શ્રીલંકા સામેની પહેલી વનડે મેચની પૂર્વસધ્યાએ કહ્યુ હતુ. તેને હજી ટી20 ફોર્મેટમાથી રિટારમેન્ટ લેવાનો નિર્ણય નથી લીધો. રોહિતના નિવેદનથી ઉલ્ટુ પસંદગીકર્તા તેમને ટી20 ટીમથી બહાર રાખી રહ્યા છે. રોહીત અને વિરાટ કોહલી ટી20 વિશ્વ કપમાં જ પોતાની આખરી ટી20 મેચ રમ્યા હતા. જ્યાં ભારતને ઇંગ્લેન્ડ સામે ભારતની ટીમને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો