IND vs AUS: નાગપુર ટેસ્ટ માટે શુભમન ગિલ અને સુર્યકુમાર વચ્ચે કન્ફ્યુઝ છે રોહિત શર્મા
રોહિત શર્માએ હજુ સુધી નાગપુર ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. રોહિત શર્માનું કહેવું છે કે અમે હજુ સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ વચ્ચે નિર્ણય લેવામાં અસમર્થ છીએ.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે રમતનું ક્ષેત્ર પસંદ કરવામાં મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડી રહ્યો છે. રોહિત શર્માએ નાગપુરમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે એક દિવસ પહેલા પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. મતલબ કે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત ટોસ સમયે જ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયામાં 11 ખેલાડીઓની પસંદગી કરવી મુશ્કેલ બની રહી છે કારણ કે ટીમમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંતની ગેરહાજરીને કારણે ટીમ કોમ્બિનેશનમાં ખલેલ જોવા મળી રહી છે. અય્યર અને પંતની જગ્યાએ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. હવે પડકાર એ છે કે આ ખેલાડીઓને ક્યાં સેટલ કરવા.

પંત અને ઐયરના જવાથી વધ્યુ કન્ફ્યુઝન
રીષભ પંત રોડ અકસ્માતને કારણે મેદાનથી દૂર છે, જ્યારે શ્રેયસ અય્યર ઘાયલ છે. એવું માનવામાં આવે છે કે ઐયર 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે, પરંતુ તે પહેલા નાગપુર ટેસ્ટમાં ગિલ, ઈશાન અને સૂર્યકુમાર યાદવના સ્થાન માટે ઝઘડો ચાલુ છે. નાગપુર ટેસ્ટ મેચ પહેલા દરેકના મનમાં સવાલ એ છે કે શુબમન ગિલ સફેદ બોલની જેમ ટેસ્ટમાં પણ ઓપનિંગ કરશે? જો ગિલ ઓપનિંગ કરશે તો કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન મિડલ ઓર્ડરમાં કેવી રીતે ફીટ થશે? ટીમમાં ઈશાનની જગ્યાએ કેએસ ભરતને રાખવાની ચર્ચા ચાલી રહી છે. માત્ર બેટિંગ જ નહીં બોલિંગ વિભાગ પણ ચર્ચામાં રહ્યો છે.

અમે હજુ નિર્ણય લઇ શક્યા નથી: રોહિત શર્મા
આ સવાલો વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનને લઈને મીડિયાને મોટો જવાબ આપ્યો છે. નાગપુર ટેસ્ટની પૂર્વ સંધ્યાએ રોહિત શર્માએ કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ વચ્ચે ટીમનો નિર્ણય લેવાનો બાકી છે. બંને ખેલાડીઓ અત્યારે શાનદાર ફોર્મમાં છે. ગીલે ODIમાં ઘણી મોટી સદીઓ રમી છે, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ તેની રમતથી પ્રભાવિત કર્યા છે, પરંતુ આવતીકાલે પ્લેઈંગ ઈલેવનનો ભાગ કોણ હશે તે અમે નક્કી કરી શકતા નથી. રોહિત શર્મા તરફથી એટલું ચોક્કસ છે કે માત્ર કેએલ રાહુલ જ તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે. રાહુલ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે, તેથી તેને છોડી શકાય નહીં. હવે મુદ્દો માત્ર મિડલ ઓર્ડરનો છે, જ્યાં ગિલ અને સૂર્યા સિવાય ઈશાન પણ દાવો કરી રહ્યો છે.

બાંગ્લાદેશ સામે ટોપ ઓર્ડરમાં રમ્યા હતા ગિલ
તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અત્યારે તેના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. હા, એ નિશ્ચિત છે કે તે રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે. રોહિત શર્માની ગેરહાજરીમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટોપ ઓર્ડરમાં રમી રહેલા શુભમન ગિલને ઓસ્ટ્રેલિયા સામે મિડલ ઓર્ડરમાં રમવાની તક મળી શકે છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી પણ ફટકારી હતી. ગિલ અને સૂર્યા ઉપરાંત, વિકેટકીપરની પસંદગી પણ રોહિત માટે એક પડકાર છે કારણ કે પંતની ઈજાને કારણે ટીમમાં ઈશાન કિશન અને કેએસ ભરતનો સમાવેશ થશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
