જે નિયમોથી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું તેના પર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યા
જે નિયમોથી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું તેના પર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હીઃ ક્રિકેટના કેટલાક નિયમ વાસ્તવમાં અજીબ સાબિત થઈ શકે છે તે 14 જુલાઈ લોર્ડ્સમાં માલૂમ પડી ગયું. ક્રિકેટ સંભવતઃ દુનિયામાં સૌથી વધુ નિયમોવાળી રમત હોય શકે છે અને આના મોટાભાગના નિયમ ભારે શાનદાર પણ છે. આ એજ નિયમ છે જેનાથી મેચની ઓવર દર ઓવર મેચની ગતિવિધિ ચાલે છે. આમ છતાં પણ કેટલાક નિયમ એવા છે જે દશકોમાં એકવાર ઉપયોગમાં લેવા માટે બન્યા છે પરંતુ જ્યારે તેનો પ્રયોગ થાય છે તો લોકો માત્ર દંગ રહી જાય છે. રવિવારે લોર્ડ્સમાં પણ કંઈક આવું જ બન્યું હતું.

રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યા
વર્લ્ડ કપ 2019ના ફાઈનલ મેચ દરમિયાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે 100 ઓવરનો ખેલ અને તે બાદ સુપર ઓવર છતાં કોઈ પરિણામ ન આપી શક્યું તો વિજેતાનો ફેસલો મેચમાં લગાવેલ કેટલીક બાઉન્ડ્રીના આધારે થયો. જેમાં ઈંગ્લેન્ડે 26 અને ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી લગાવી હતી. નિશ્ચિત રીતે આ નિયમ પૂર્વ નિર્ધારિત હતો અને સુપરઓવર રમી રહેલ ટીમને પણ આ વિશે જાણકારી હતી પરંતુ આનાથી એ સવાલ ઉભો થયો છે કે શું આ નિયમ તર્કસંગત હતો?

ટ્વીટ કર્યું
વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ રન બનાવનાર સ્ટાર ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ પણ એક ક્રિકેટર હોવાથી આ અપીલ કરી છે કે કેટલાક નિયમો પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરત છે. જ્યારે રોહિત આવું કહી રહ્યા હતા તો તેમનો સ્પષ્ટ ઈશારો આ નિયમ તરફ જ હતો જેમાં મેચ ટાઈ થયા બાદ બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા.

ઈંગ્લેન્ડની જીત
આમાં પણ કોઈ હૈરાનીની વાત નથી કે રોહિત જ નહિ બલકે અનેક ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સે આ નિયમથી બિલકુલ સંતુષ્ટ નથી જણાયા. આ નિયમે ફાઈનલના દિવસે બિલકુલ બરાબરીનો ખેલ દેખાડનાર ન્યૂઝીલેન્ડ પાસેથી વિશ્વ વિજેતા બનવાનું સપનું છીનવી લીધું છે. કેટલાય પૂર્વ ક્રિકેટર્સે તો આ નિયમને ભયાનક અને ડરામણો ગણાવ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
