SRH vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કરો યા મરો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલામાં બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સાથેના આજના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કોઈ પણ સંજોગોમાં જીતવુ જરૂરી છે. જો આજની મેચ હારશે તો આરબીસી માટે પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ લગભગ ખતમ થઈ જશે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રમાવા જઈ રહેલા આ મુકાબલા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે અને અહીં જીત તેમને બીજા સ્થાને પહોંચવામાં મદદ કરી શકે છે. આ RCB માટે કરો યા મરો મેચ છે.
IPLમાં આ બંને ટીમો વચ્ચે 24 મેચ રમાઈ છે. SRHએ 13 મેચ જીતી છે, જ્યારે RCBએ 10 મેચ જીતી છે. એક મેચ કોઈપણ પરિણામ વિના પુરી થઈ છે.
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સપોર્ટિવ છે. અહીં બોલરોને વિકેટ લેવા માટે વધુ મહેનત કરવી પડશે. નવા બોલ સાથે થોડી હિલચાલ થશે, પરંતુ એકંદરે તે બેટિંગ વિકેટ છે. અહીં મોટો સ્કોર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
